
ભુજ રાવલવાડી સબ પોસ્ટ ઓફિસના કૌભાંડનો મુખ્ય સુત્રધાર સચિન ઠક્કર એ ડિવિઝનની કસ્ટડીમાંથી નાસી ગયો હતો. આ મામલે જે-તે સમય પીએસઓ પૃથ્વીરાજસિંહ જાડેજા સામે ગુનો દાખલ થયો હતો અને હવે સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષક સૌરભસિંઘ જણાવ્યું હતું કે, પોલીસ કસ્ટડીનો દરવાજો પીએસઓ પૃથ્વીરાજે ખોલ્યો હતો અને તેની નજર ચૂકવીને સચિન નાસી છુટ્યો હતો. આમ આ બેદરકારી બદલ તેની સામે ગુનો નોંધાયો છે. તે ઉપરાંત તેને સસ્પેન્ડ પણ કરી દેવાયો છે.