રંગભૂમિ દિવસ અંતર્ગત 25થી 27 સુધી રંગહોત્ર ડ્રામા ફેસ્ટિવલ 300 કલાકારો 70 નાટક પ્રસ્તૂત કરશે

27મી માર્ચના રોજ વિશ્વ રંગભૂમિ દિવસ અંતર્ગત સુરત પર્ફોમિંગ આર્ટિસ્ટ એસોસિએશન દ્વારા એલ.પી. સવાણી રોડ પર આવેલા પર્ફોર્મિંગ આર્ટ સેન્ટર ખાતે 25થી 27 માર્ચ સુધી રંગહોત્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં શહેરના 300 કલાકારો દ્વારા 3 દિવસમાં 70 નાટકો ભજવવામાં આવશે.જે નાટકો ચાર ભાષા ગુજરાતી, હિન્દી, મરાઠી અને અંગ્રેજીમાં રહેશે.
25 માર્ચે રાત્રે 8થી રાત્રે 12 વાગ્યા સુધી, 26 માર્ચે સાંજે 4થી રાત્રે 12 વાગ્યા સુધી અને 27 માર્ચે સાંજે 4થી રાત્રે 12 વાગ્યા સુધી શહેરની અલગ અલગ સંસ્થા દ્વારા નાટકો ભજવવામાં આવશે. આ કાર્યક્રમમાં શહેરીજનોને વિનામૂલ્યે વહેલા તે પહેલાના ધોરણે એન્ટ્રી આપવામાં આવશે. કાર્યક્રમમાં શાંતિલાલ મિસ્ત્રી, એસ.આર ખાન, આસિત મહેતા, ભારતી શાસ્ત્રી, પદ્મશ્રી યઝદી કરંજિયા અને ભારતી શાસ્ત્રીનું સન્માન કરવામાં આવશે. સુરત પર્ફોર્મિંગ આર્ટિસ્ટ એસો.ના પ્રમુખ કપિલદેવ શુક્લાએ કહ્યું કે,સમાજે અમને જે આપ્યું છે, તે સમાજને પરત આપવા માટે શહેરના કલાકારો દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *