અમદાવાદ SG હાઇવેને 913 કરોડના ખર્ચે છ-માર્ગીય કરવાની કામગીરી તેજ

અમદાવાદનો એસજી હાઈવે કે જ્યાં હજારો લાખોની સંખ્યામાં વાહનો પસાર થાય છે. આ કામગીરી પૂર્ણ થયેથી ગાંધીનગર અને અમદાવાદને જોડતો રાષ્‍ટ્રીય ધોરીમાર્ગ સંપૂર્ણપણે છ-માર્ગીય થશે. ત્યારે વાહન ચાલકોની સુવિધા માટે આ હાઈવેને ફોરલેન્થથી સિક્સ લેન્થ કરવા માટે કામગિરી તેજ કરવામાં આવશે. જે માટે રાજ્ય સરકાર દ્વારા 913 કરોડના ખર્ચે છ-માર્ગીય કરવાની કામગીરી તેજ કરવામાં આવી છે. જેમાં કેટલાક કામો છે તે બાકી છે જે પૂર્ણ કરવાની કામગિરી કરવામાં આવી રહી છે. 

આ ત્રણ જગ્યાના કામો છે પ્રગતિ હેઠળ 
સરખેજ-ગાંધીનગર હાઇવેને `૯૧૩ કરોડના ખર્ચે છ-માર્ગીય કરવાની કામગીરી અન્વયે ત્રણ સ્ટ્રકચર જેમાં છારોડી, ઉજાલા, ખોડીયાર આર.ઓ.બી.ની કામગીરીનો સમાવેશ થાય છે જે પ્રગતિ હેઠળ છે. આ કામગીરી પૂર્ણ થયેથી ગાંધીનગર અને અમદાવાદને જોડતો રાષ્‍ટ્રીય ધોરીમાર્ગ સંપૂર્ણપણે છ-માર્ગીય થશે.

૯૫૦ કરોડના ખર્ચે અમદાવાદથી પાલનપુર હાઈવે
અમદાવાદ–મહેસાણા–પાલનપુર રસ્તાને `૯૫૦ કરોડના ખર્ચે હાઈબ્રિડ એન્યુઈટી પદ્ધતિથી ફલાયઓવર સહિત છ-માર્ગીય કરવા માટે `૧૬૦ કરોડની જોગવાઈ. 

રાજ્યના તમામ ગામો અને બીજા મહત્વના સ્થળોને ગ્રામ્ય રસ્તાઓ અને ધોરીમાર્ગોના સુઆયોજીત નેટવર્કથી જોડવામાં આવેલ છે. આગામી વર્ષોમાં આ માળખાકિય સુવિધાઓની કામગીરીને આગળ ધપાવવા અને સુદ્રઢ કરવા આયોજનો હાથ ધરેલ છે. આ રસ્તાઓના સુદ્રઢીકરણની કામગીરી સાથે ગુણવત્તામાં પણ વધારો કરવાનું અમારું લક્ષ્ય છે. જેમાં મેટ્રો સિટી અમદાવાદને જોડતા અને ટ્રાફીકનું ભારણ રહેતા વાહનોવાળા રોડ પર પણ કામગિરી તેજ કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *