
અમદાવાદ: ચાંદખેડામાં વીજ કરંટ લાગતા બેના મોત
અમદાવાદ: ચાંદખેડાની શુભલક્ષ્મી સોસાયટીમાં કરંટ લાગતા બેના મોત થતા ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી પ્રમાણે કિશોરને કરંટ લાગતા પાડોશી મહિલા બચાવવા ગયા હતા, જે બાદ તેમને પણ કરંટ લાગ્યો હતો. ગેટ ઉપર વીજ પોલના તાર છૂટા પડેલા હતા. જ્યારે ગેટ ખોલવા જતા બાળકને કરંટ લાગ્યો હતો. હતો. જેમાં બાળક અને પાડોશી મહિલાના મોત થયા છે.
