હાઈ બ્‍લડ પ્રેશરથી થઈ શકે છે હૃદયના રોગો, કિડની સંબંધી રોગો / High blood pressure

હાઈ બ્‍લડ પ્રેશરથી થઈ શકે છે હૃદયના રોગો, કિડની સંબંધી રોગો

INCIના જણાવ્‍યા અનુસાર ૨૩ટકા દર્દીઓમાં અનિયંત્રીત હાઈપરટેન્‍શન હોવાનું ખુલ્‍યું

સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલયના ઈન્‍ડિયા હાઈપરટેન્‍શન કંટ્રોલ ઈનિશિએટિવ (INCI) અનુસાર, આ પ્રોગ્રામ હેઠળ નોંધાયેલા હાઈપરટેન્‍સિવ દર્દીઓમાંથી ૨૩ ટકા અનિયંત્રિત હાઈપરટેન્‍શન ધરાવતા હોવાનું જાણવા મળ્‍યું છે. હાઈ બ્‍લડ પ્રેશરના અડધાથી ઓછા દર્દીઓ તેમના બ્‍લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં સક્ષમ છે. આ પહેલનો ઉદ્દેશ્‍ય દેશમાં હાઈપરટેન્‍સિવ દર્દીઓને ગુણવત્તાયુક્‍ત સારવાર પૂરી પાડવાનો છે, જેથી હૃદયરોગ અને કિડનીની નિષ્‍ફળતાને કારણે થતા મળત્‍યુને અટકાવી શકાય.
ભારતમાં ચારમાંથી એક વ્‍યક્‍તિને હાઈ બ્‍લડ પ્રેશર હોય છે, પરંતુ માત્ર ૧૦ ટકા જ તેને નિયંત્રિત કરવામાં સક્ષમ છે. વાસ્‍તવમાં, મોટાભાગના લોકો પાસે તેની સારવારની એકસેસ નથી.
૨૦૧૭ માં શરૂ કરાયેલ, IHCI પ્રોગ્રામનો હેતુ હાઈ બ્‍લડ પ્રેશરના દર્દીઓના વધતા ગ્રાફને ઓછામાં ઓછા ૨૫ ટકા સુધી ઘટાડવાનો છે.


IHCI શું છે
એવો અંદાજ છે કે ભારતમાં ચારમાંથી ઓછામાં ઓછા એક વ્‍યક્‍તિને હાઈ બ્‍લડ પ્રેશર હોય છે, પરંતુ માત્ર ૧૦ ટકા જ તેને નિયંત્રણમાં રાખે છે. આ ચિંતાજનક પરિસ્‍થિતિ છે. IHCI પ્રોગ્રામ ૨૦૧૭માં શરૂ કરવામાં આવ્‍યો હતો. તેનો હેતુ હાઈ બ્‍લડ પ્રેશરના દર્દીઓના વધતા ગ્રાફને ઓછામાં ઓછા ૨૫ ટકા સુધી ઘટાડવાનો હતો. આ માટે લગભગ ૪.૫ કરોડ વધુ લોકોએ તેમના બ્‍લડ  પ્રેશરને નિયંત્રિત કરવાની જરૂર છે. આ પ્રોજેક્‍ટ હેઠળ ૧૫ કરોડથી વધુ લોકોને હાઈપરટેન્‍શનની ગુણવત્તાયુક્‍ત સારવાર પૂરી પાડવામાં આવશે. પ્રથમ તબક્કામાં પાંચ રાજ્‍યોમાં લગભગ ૨૩ ટકા દર્દીઓ નોંધાયા છે. મહારાષ્‍ટ્રમાં ૨૯.૧, કેરળમાં ૨૫.૩, મધ્‍યપ્રદેશમાં ૨૨.૪, તેલંગાણામાં ૨૦.૮ અને પંજાબમાં ૧૬.૩ ટકા નોંધાયા છે. આ કાર્યક્રમમાં દવાઓના અવિરત પુરવઠા અને ઉપલબ્‍ધતા, હાઈપરટેન્‍શનના સંચાલન માટે પ્રમાણભૂત દવાનો ઉપયોગ, તમામ સ્‍તરે સ્‍ટાફની તાલીમ અને અન્‍ય સારવાર માટે આવતા
દર્દીઓની સ્‍થળ પર બ્‍લડ પ્રેશર તપાસણીનો સમાવેશ થાય છે.

અનિયંત્રિત બ્‍લડ પ્રેશર
નિષ્‍ણાતોના મતે, ઘણા લોકો અજાણ છે કે તેમને બ્‍લડ પ્રેશરની સમસ્‍યા છે અને જેઓ જાણે છે તેઓ નિયમિત સારવાર લેતા નથી. મેંદાતા-ધ મેડિસિટી હોસ્‍પિટલના કાર્ડિયોલોજી વિભાગના અધ્‍યક્ષ ડો.આર.આર. કાસલીવાલ કહે છે કે હાઈપરટેન્‍શનની આ બીમારી દર્દીઓ માટે ‘સાયલન્‍ટ કિલર’ છે. જ્‍યાં સુધી હૃદયરોગનો હુમલો ન આવે, કિડનીની નિષ્‍ફળતાની જાણ ન થાય ત્‍યાં સુધી લોકોને ખ્‍યાલ પણ આવતો નથી કે તેમને બ્‍લડ પ્રેશરની સમસ્‍યા છે. હૃદયરોગનો હુમલો અને કિડનીની નિષ્‍ફળતા ઉપરાંત, તે આંખના હેમરેજ અને પેરિફેરલ ધમનીની વિકળતિઓ તરફ દોરી શકે છે, જ્‍યારે હાથ અને પગમાં જરૂરી રક્‍ત પરિભ્રમણ પહોંચતું નથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *