સ્વર્ણિમ સંકુલમાં જાણો કયા મંત્રીને ક્યાં ફાળવવામાં આવી ચેમ્બર, સમગ્ર મંત્રીઓએ પદભાર સંભાળી શરું કરી કામગિરી

સમગ્ર મંત્રીમંડળે આજથી પદભાર સંભાળ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સતત બીજીવાર રાજ્યનું જનસેવા દાયિત્વ સંભાળ્યું છે. મુખ્યમંત્રી કાર્યાલયમાં દાદા ભગવાન, સીમંધર સ્વામીની પૂજા-અર્ચના કરી સહુજન હિતાય સહુજન સુખાય’ની ખેવના સાથે કાર્યભાર સીએમ એ સંભાળી લીધો છે ત્યારે મંત્રીઓને પણ સ્વર્ણિમ સંકુલમાં કેબિનો ફાળવવામાં આવી છે. ગઈકાલે શપથ વિધી પૂર્ણ થયા બાદ તમામ મંત્રીઓને ખાતાની ફાવણી કરી દેવામાં આવી હતી. 

સ્વર્ણિમ સંકુલ 1માં આ મંત્રીઓ બેસશે

– મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સીએમ કાર્યાલયમાં સ્વર્ણિમ સંકુલ 1 ખાતે છે.
– મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું મુખ્ય કાર્યાલય સ્વર્ણિમ સંકુલ 1માં હશે.
– સ્વર્ણિમ સંકુલની ચેમ્બર નંબર 1માં આરોગ્ય મંત્રીઋષીકેશ પટેલ અને કનુભાઈ દેસાઈ અને ડો.કુબેર ડીંડોર કામ કરશે.
– રાઘવજી પટેલને ચેમ્બર નંબર 2 ફાળવાઈ 
– ચેમ્બર નંબર 3માં બળવંતસિંહ રાજપૂતે ચાર્જ સંભાળ્યો
– કુંવરજી બાવળિયા ચેમ્બર નંબર 4માં ચાર્જ સંભાળ્યો
– મુળુ બેરાએ ચેમ્બર નંબર 5માં ચાર્જ સંભાળ્યો

સ્વર્ણિમ સંકુલ 2માં આ મંત્રીઓની ચેમ્બર

– ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ચેમ્બર નંબર 4 સોંપવામાં આવી.
– ચેમ્બર નંબર 2માં જગદીશ વિશ્વકર્માને ફાળવાઈ 
– પુરુષોત્તમ સોલંકીને ચેમ્બર નં 1 ફાળવાઈ 
– બચુભાઈ ખાબડને ચેમ્બર નંબર 3 ફાળવાઈ 
– ચેમ્બર નંબર 1માં મુકેશ પટેલે ચાર્જ સંભાળ્યો

સીએમ એ નવનિયુક્ત સૌ મંત્રીઓને શુભેચ્છાઓ પાઠવી 

મુખ્યમંત્રી તરીકે  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સમગ્ર મંત્રીમંડળે સહુજન હિતાય-સહુજન સુખાયની ખેવના તેમ જ ‘સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ’ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ધ્યેયમંત્ર સાથે આજે પોતાનો પદભાર સંભાળતા કામગિરી શરુ કરી છે. એ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે રાજ્ય મંત્રીમંડળના નવનિયુક્ત મંત્રીઓ પણ પૂજન-અર્ચનમાં સહભાગી થયા હતા. સીએમ એ નવનિયુક્ત સૌ મંત્રીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને રાજ્યના ઉત્તરોત્તર અવિરત વિકાસમાં તેમનું યોગદાન મળતું રહે તેવી મંગળ કામનાઓ વ્યક્ત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *