Plane Accident : વિમાન દુર્ઘટનામાં ઇતિહાસનો સૌથી વધુ વિમો, કુલ દાવાઓ રૂ. 2,490 કરોડ કે તેથી વધુ સુધી પહોંચવાની શક્યતા

અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં થયેલું નુકસાન ખૂબ મોટા હોવાથી, કુલ દાવાઓ રૂ. 2,490 કરોડ કે તેથી વધુ સુધી પહોંચવાની શક્યતા છે, જે ભારતીય ઉડ્ડયન વીમાના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી વીમા જવાબદારી હોઈ શકે છે.
Plane Accident : અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના માત્ર ભાવનાત્મક રીતે આઘાતજનક નથી, પરંતુ તેની સાથે સંકળાયેલી વીમા કંપનીઓ માટે મોટો નાણાકીય ફટકો પણ સાબિત થઈ શકે છે. લંડન જતી એર ઇન્ડિયાની બોઇંગ 787-8 ડ્રીમલાઇનર ફ્લાઇટ સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેકઓફ દરમિયાન ક્રેશ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં 242 લોકોમાંથી 241 લોકોના મોત થયા હતા, જેના કારણે ઉડ્ડયન અને વીમા ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે.
Plane Accident : પ્રમુખ મીડિયાના રિપોર્ટ મુજબ ન્યૂ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ અને ટાટા એઆઇજી એર ઇન્ડિયાના આ વિમાનની મુખ્ય વીમા કંપનીઓ હતી.જોકે, આટલું મોટું જોખમ મોટાભાગે એઆઇજી લંડનના નેતૃત્વ હેઠળના આંતરરાષ્ટ્રીય પુનઃવીમા બજારમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. વિસ્તારા સાથેના મર્જર પછી એર ઇન્ડિયાએ તેના 300 થી વધુ વિમાનો માટે કુલ $20 બિલિયન (લગભગ ₹1.66 લાખ કરોડ) નું વીમા કવર લીધું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતના GIC Re એ ફક્ત 5% હિસ્સો ચૂકવવાનો રહેશે, જ્યારે બાકીના 95% આંતરરાષ્ટ્રીય વીમા કંપનીઓ દ્વારા ચૂકવવાના રહેશે.
વીમો બે ભાગમાં ચૂકવવામાં આવે છે:
- હલ વીમો(Hull Insurance) : આમાં, વિમાનની કિંમત અનુસાર વળતર આપવામાં આવે છે. આ અકસ્માતમાં, આ આંકડો 200-300 મિલિયન ડોલર (₹1,660 કરોડ થી ₹2,490 કરોડ) ની વચ્ચે હોઈ શકે છે.
- મુસાફરોની જવાબદારી: આ મુસાફરોના મૃત્યુ, ઈજા અથવા સામાનના નુકસાન માટે છે. યુરોપ રૂટ જેવા કિસ્સાઓમાં, આ રકમ 500 મિલિયન ડોલર (લગભગ ₹4,150 કરોડ) થી વધુ હોઈ શકે છે. આ વળતર મોન્ટ્રીયલ કન્વેન્શન અને કેરેજ બાય એર એક્ટ, 1972 હેઠળ આપવામાં આવે છે.
મોન્ટ્રીયલ કન્વેન્શન મુજબ, મુસાફરના મૃત્યુ અથવા ગંભીર ઈજાના કિસ્સામાં, એરલાઈને પરિવારને વળતર ચૂકવવાનું હોય છે. આ મુસાફરની ઉંમર, વ્યવસાય, આવક અને કોર્ટ દ્વારા નક્કી કરાયેલા માપદંડોના આધારે નક્કી કરવામાં આવે છે.
2020 માં, કોઝિકોડમાં એર ઇન્ડિયા એક્સપ્રેસ અકસ્માતમાં 21 લોકોનાં મોત થયા હતા. વીમા કંપનીઓએ મુસાફરોની જવાબદારી હેઠળ લગભગ 38 મિલિયન ડોલર (લગભગ ₹315 કરોડ) ચૂકવ્યા હતા.
Plane Accident : આ વખતે, અમદાવાદ અકસ્માતમાં થયેલા નુકસાન ખૂબ મોટા હોવાથી, કુલ દાવાઓ રૂ. 2,490 કરોડ કે તેથી વધુ સુધી પહોંચવાની શક્યતા છે, જે ભારતીય ઉડ્ડયન વીમાના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી વીમા જવાબદારી હોઈ શકે છે.