આજરોજ જુનાગઢ વિધાનસભા ક્ષેત્ર ના ઉમેદવાર સંજયભાઈ કોરડીયા દ્વારા ચૂંટણીનું ફોર્મ ભરવા માટેના કાર્યક્રમનું આયોજન કર્યું હોય જેના માટે જુનાગઢ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ના સ્ટેચ્યુ નજીક એક સભા મંડપ ગોઠવી અને સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે જૂનાગઢમાં વધુને વધુ મધ્ય ઉમેદવાર જીતે કેવી એક આશા સાથે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તમામ ઉપસ્થિત લોકોના આશીર્વાદ લેવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે સંજયભાઈ કોડિયાના આમંત્રણ ને માન આપી મેંદરડા માણાવદર મતવિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને હાલ 85 માણાવદર સીટના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી પક્ષના જવાહરભાઈ ચાવડા ખાસ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા પોતાના મતવિસ્તારમાં ખૂબ જ વ્યસ્ત હોય ચૂંટણીને લઈને પરંતુ સંજયભાઈ કોરડીયા સાથે તેમનું પારિવારિક સંબંધ હોય તે માટે તેમના આમંત્રણ ને માન આપી તેમના ફોર્મ ભરવા માટેના જે સભાનું આયોજન કર્યું હોય તે સભામાં ઉપસ્થિત રહેવા માટે ખાસ હાજર રહ્યા હતા અને તેમને સભામાં હાજરી આપી હતી અને સંજયભાઈ ને શુભકામના પણ પાઠવી હતી