AHMEDABAD PLANE CRASH INVESTIGATION : એર ઇન્ડિયાના સીઈઓ દ્વારા પ્લેન ક્રેશમાં 275 લોકોનાં મૃત્યુની પુષ્ટિ

AHMEDABAD PLANE CRASH INVESTIGATION : 12 જૂન, 2025ના અમદાવાદના મેઘાણીનગરમાં પ્લેન ક્રેશની દુર્ઘટના બની હતી. આ દુર્ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાંથી પ્લેનમાં બેઠેલા મુસાફરો પણ છે અને પ્લેનની બહારના સ્થાનિકો પણ છે. એર ઇન્ડિયાના સીઈઓ દ્વારા આ દુર્ઘટનામાં 275 લોકોનાં મૃત્યુ થયાં હોવાની પુષ્ટિ કરવામાં આવી છે, જેમાંથી 241 ફ્લાઈટમાં બેઠેલા મુસાફરો છે, જ્યારે 34 ગ્રાઉન્ડ પરના અન્ય લોકો છે. ઉલેખનીય છે કે સિવિલ હોસ્પિટલ દ્વારા હજુ પણ ડીએનએ મેચ કરીને મૃતદેહ આપવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થાય તો આંકડો વધે એવી પણ શક્યતા છે.
એર ઈન્ડિયાના CEO કેમ્પબેલ વિલ્સને એર ઈન્ડિયા મહારાજા ક્લબના સભ્યોને ઇ-મેઇલ કર્યો હતો, જેમાં પ્લેન ક્રેશની દુર્ઘટના અંગે લોકોને જાણ કરી હતી. આ ઇમેલમાં CEOએ કબૂલાત કરી છે કે પ્લેન ક્રેશની દુર્ઘટનામાં પ્લેનમાં બેઠેલા 241 લોકો અને ઓન ગ્રાઉન્ડ એટલે કે સ્થળ પરના 34 લોકોનાં મોત થયાં છે. આ ઘટનામાં કુલ 275 લોકોનાં મોત થયાંની પુષ્ટિ કરવામાં આવી છે, જોકે સિવિલ હોસ્પિટલમાં હજુ પણ DNA મેચ કરીને પરિવારને મૃતદેહ સોંપવાની કામગીરી ચાલી રહી છે. હજુ પણ કેટલાક ઇજાગ્રસ્ત દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે. તમામના મૃતદેહ આપ્યા બાદ તથા તમામની સારવાર પૂર્ણ થયા બાદ સ્પષ્ટ મૃત્યુઆંક જાણી શકાશે. હજુ આ આંકડો વધે એવી પણ શક્યતા છે.

AHMEDABAD PLANE CRASH INVESTIGATION : અમે દિલગીર છીએ, કારણ કે 12 જૂન, 2025ના રોજ Air Indiaની ફ્લાઈટ AI171ના દુઃખદ અકસ્માતમાં 241 મુસાફર અને ક્રૂ-સભ્યો અને ગ્રાઉન્ડ પરના 34 લોકોનાં મૃત્યુથી અમને દુઃખ થયું છે. આ વિનાશક ઘટનાથી અસરગ્રસ્ત પરિવારો અને સ્વજનો માટે શબ્દો ઓછા પડે છે.
અમે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છીએ કે જે પરિવારો અસરગ્રસ્ત થયા છે, તેમને પૂરેપૂરી મદદ આપીશું અને આ દુર્ઘટનાનું કારણ જાણવા માટે સત્તાવાળાઓ સાથે કાર્ય કરી રહ્યા છીએ.
AHMEDABAD PLANE CRASH INVESTIGATION : Air Indiaમાં તમારી સુરક્ષા અમારું સર્વોચ્ચ પ્રાધાન્ય છે અને 2022થી એરલાઇનનું સંચાલન સંભાળ્યા બાદથી એ અમારો સંકલ્પ રહ્યો છે. આ સંદર્ભમાં અમે ફ્લાઈટ AI171ને લગતી કેટલીક મહત્ત્વપૂર્ણ વાતો આપ સાથે શેર કરવા માગીએ છીએ, જેથી આ મુશ્કેલ સમયમાં થોડી સ્પષ્ટતા મળી શકે.
આ ફ્લાઈટનું નેતૃત્વ કેપ્ટન સુમિત સભરવાલ કરી રહ્યા હતા, જેમને 10,000થી વધુ કલાકો સુધી વીડીબોડી વિમાનો ઉડાડવાનો અનુભવ છે. ફર્સ્ટ ઓફિસર ક્લાઈવ કુંદેર પાસે પણ 3,400 કલાકથી વધુનો ફ્લાઈંગ અનુભવ હતો.
AHMEDABAD PLANE CRASH INVESTIGATION : આ વિમાન સંપૂર્ણ રીતે જાળવવામાં આવ્યું હતું. છેલ્લી મોટી સર્વિસ તેની જૂન 2023માં થઈ હતી અને આગામી ડિસેમ્બર 2025માં થવાની હતી. માર્ચ, 2025માં તેના જમણા એન્જિનને રિફર્બિશ કરવામાં આવ્યું હતું અને એપ્રિલ 2025માં ડાબા એન્જિનનું નિરીક્ષણ થયું હતું. વિમાન અને એન્જિન્સ બંને નિયમિત રીતે તપાસવામાં આવતાં હતાં અને ફ્લાઈટ પહેલાં કોઈ સમસ્યા નોંધાઈ ન હતી. આ એ તથ્યો છે, જે અમને આજે જાણવા મળ્યાં છે. અમે અને આખી ઉડાન ઉદ્યોગ સમુદાય, આ દુર્ઘટનાની વિશદ તપાસ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ.
આ દુઃખદ ઘટનાના અનુસંધાનમાં અને ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા 14 જૂન, 2025ના રોજ આપેલા આદેશ મુજબ અમે અમારાં તમામ 33 Boeing 787 વિમાનોની વ્યાપક સલામતી તપાસ કરી રહ્યા છીએ. અત્યારસુધી 26 વિમાનોની તપાસ પૂર્ણ થઈ છે અને તેઓ સેવા માટે મંજૂર કરાયા છે. બાકી વિમાનો હાલ રાષ્ટ્રીય સર્વિસિંગ હેઠળ છે અને એને પણ તપાસ્યા બાદ જ સર્વિસમાં મૂકવામાં આવશે. DGCAએ પણ પુષ્ટિ કરી છે કે અમારી Boeing 787 ફ્લિટ અને એની જાળવણી પ્રક્રિયાઓ સંપૂર્ણપણે સલામતી ધોરણો પર ખરી ઊતરે છે.
AHMEDABAD PLANE CRASH INVESTIGATION : દુઃખની સાથે જણાવીએ છીએ કે આ વધારાની સલામતી તપાસ માટે લાગતી અવધિ તેમજ હવાઈ વિસ્તારમાં ઈરાન અને મિડલ ઈસ્ટમાં કેટલાક હિસ્સામાં વિમાની અવરજવર બંધ હોવી તેમજ કેટલાંક આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર રાત્રિના સમયે પ્રતિબંધના કારણે અને અન્ય સામાન્ય ટેક્નિકલ સમસ્યાઓને લીધે અમારું લાંબા અંતરનું સેવા નેટવર્ક છેલ્લા કેટલાક દિવસોમાં વધુ વિક્ષેપગ્રસ્ત રહ્યું છે. અમને ખબર છે કે આ અવ્યવસ્થાએ તમારા પ્રવાસ પર અસર કરી છે અને અમે એ માટે ખેદ વ્યક્ત કરીએ છીએ.
વિશ્વાસ જાળવવા માટે અમે Boeing 787 વિમાનો પર ફ્લાઈટ પૂર્વ વધારાની સલામતી ચકાસણીઓ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે અને હવે એ સાથે Boeing 777 વિમાનો પર પણ એ ચકાસણીઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. આ વધારાની ચકાસણીઓ અને સમયને ધ્યાનમાં લેતાં અમે 20 જૂન, 2025થી ઓછામાં ઓછું જુલાઈના મધ્ય ભાગ સુધી અમારું આંતરરાષ્ટ્રીય વિશાળ બોડી ફ્લાઈટ શિડ્યૂલ લગભગ 15% સુધી ઘટાડવાનો નિર્ણય લીધો છે. આ અમને જરૂર પડયે બેકઅપ વિમાનો તૈયાર રાખવા માટે સહાયરૂપ થશે.
AHMEDABAD PLANE CRASH INVESTIGATION : અમે જાણીએ છીએ કે આ તાત્કાલિક સમયગાળાનો ફેરફાર તમારા યાત્રા આયોજનને અસર પહોંચાડી શકે છે અને એના માટે અમે દિલગીર છીએ. જો તમારી ફ્લાઈટ પર અસર થાય છે, તો અમે તમારી સાથે સીધો સંપર્ક કરી ફરીથી બુકિંગ અથવા સંપૂર્ણ રિફંડ ઓફર કરીશું. આગામી થોડા દિવસોમાં અમે સુધારેલું આંતરરાષ્ટ્રીય શિડ્યૂલ શેર કરીશું.
આ અમારા બધા માટે ખૂબ જ પડકારજનક સમય છે. અમે તમારા સહયોગ અને સમજ માટે આભારી છીએ અને આશાવાન આપીએ છીએ કે તમે સમજશો કે સલામતી હંમેશાં પ્રથમ આવે છે. તમારો વિશ્વાસ અમારા માટે બધું છે. જો તમને કોઈ પ્રશ્ન હોય અથવા મદદની જરૂર હોય તો કૃપા કરીને અમારા ગ્રાહક સેવા માધ્યમો દ્વારા અમારો સંપર્ક કરો.
AHMEDABAD PLANE CRASH INVESTIGATION : Air India પસંદ કરવા બદલ અને Maharaja Clubનો ભાગ બનવા બદલ આભાર. અમે હંમેશાં સહાનુભૂતિપૂર્વક અને સલામતી સાથે તમારી સેવા માટે પ્રતિબદ્ધ છીએ….આદરપૂર્વક, કેમ્પબેલ વિલ્સન, CEO & MD, Air India

AHMEDABAD PLANE CRASH INVESTIGATION : ગઈ 12 જૂન, 2025ના રોજ બપોરના 1.40 વાગ્યે બનેલી અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ હવે તપાસ એજન્સીઓ દ્વારા નાનામાં નાની કડી તપાસવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. એમાં પણ જ્યારે પ્લેન ક્રેશની વાત આવે ત્યારે એના નિયમ પ્રમાણે પ્લેનના પાર્ટ્સ એકત્ર કરીને એને રિસ્ટ્રક્ચર કરવામાં આવે છે અને પહેલાં એવી વાત હતી કે પ્લેનના પાર્ટને વિદેશ મોકલાશે, પરંતુ હવે વિમાનના બચી ગયેલા પાર્ટને ગુજસેલ ખાતે સાચવવામાં આવી રહ્યા છે.

AHMEDABAD PLANE CRASH INVESTIGATION : ક્રેશ સાઈટથી અલગ અલગ માધ્યમો દ્વારા પાર્ટ્સને પોલીસ એસ્કોર્ટ સાથે ગુજસેલ (ગુજરાત સ્ટેટ એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિ.) પહોંચાડવામાં આવી રહ્યા છે. જ્યાં પ્લેનને નિયમ પ્રમાણે રિસ્ટ્રક્ચર એટલે જે પ્લેનનો કાટમાળ વધ્યો છે એને પ્લેનના સ્ટ્રક્ચર પ્રમાણે ગોઠવવામાં આવશે.
અમદાવાદ મેઘાણીનગરમાં જે જગ્યાએ પ્લેન ક્રેશ થયું હતું એ જગ્યાથી હવે પ્લેનનો કાટમાળ ખસેડવામાં આવી રહ્યો છે અને પ્લેનના અલગ અલગ પાર્ટ્સને સાચવવા માટેની જગ્યા નક્કી કરવામાં આવી છે.
વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો