
ચાંદીપુરા: મૃત્યુઆંક 58 થયો, કુલ કેસ 140
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત છે. ચાંદીપુરા વાયરસના લીધે મૃત્યુ પામનાર બાળકોનો આંકડો 58 થયો છે. તો અત્યાર સુધીમાં ચાંદીપુરાના કુલ કેસની સંખ્યા 140 પર પહોંચી છે. જેમાં શંકાસ્પદ કેસો પણ સમાવેશ થાય છે. સૌથી વધારે કેસ પંચમહાલ (16), અમદાવાદ (14), સાંબરકાંઠા (12) અને મહેસાણા (8)માં નોંધાયા છે.