
પંજાબના પૂર્વ મુખ્યમંત્રીશ્રી પ્રકાશસિંઘ બાદલનું નિધન: બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર
પંજાબ રાજયના પૂર્વ મુખ્યમંત્રીશ્રી પ્રકાશસિંઘ બાદલનું ૨૫ એપ્રિલે નિધન થવાથી સદગતના માનમાં કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે, જે મુજબ ૨૬ અને ૨૭ એપ્રિલે દેશભરના રાષ્ટ્રીય ધ્વજ ફરકાવતા બિલ્ડીંગમાં ધ્વજ અડધી કાઠીએ ફરકાવવાનો રહેશે. અને આ બે દિવસ દરમ્યાન કોઇ પણ જાહેર કાર્યક્રમો યોજાશે નહીં, તેમ ગુજરાત રાજયના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જણાવાયું છે.