
દરેક વસ્તુના ફાયદા હોય છે એમ એના કેટલાક ગેરફાયદા પણ હોય છે. ત્યારે આજે જાણીશું કે તમે કેવી રીતે તમારો સ્માર્ટ ફોન કેટલું રેડિએશન ફેલાવે છે એ જાણી શકો.
જો તમારી પાસે મોબાઈલ ન હોય તો ઘણા કામો અટવાઈ જાય છે, તમારે કોઈને પેમેન્ટ કરવું હોય, બિલ ચૂકવવું હોય કે વોટ્સએપ પર કોઈની સાથે ચેટ કરવી હોય, દરેક નાનું કામ ફોન દ્વારા થાય છે. પરંતુ આખો સમય ફોનને જોડે ને જોડે રાખવો પણ યોગ્ય નથી, કારણ કે ફોન તમારા સ્વાસ્થ્યનો મોટો દુશ્મન પણ બની શકે છે. હવે એવો સવાલ થશે કે સ્માર્ટફોન કેવી રીતે દુશ્મન બની શકે? એવા ઘણા લોકો હશે જેઓ જાણતા નહીં હોય કે દરેક ફોનમાંથી રેડિયેશન નીકળે છે. આ માહિતી ફોનના રિટેલ બોક્સ પર પણ હોય છે પરંતુ આ માહિતી વાંચવી કોઈને જરૂરી નથી લાગતી.
તમારે જાણવું જોઈએ કે તમે જે ફોનનો ઉપયોગ કરી રહ્યા છો તે ફોનની લિમિટ કરતા વધુ રેડિયેશનનો નથી ફેલાવી રહ્યો ને? જો આવું હોય તો તરત જ ફોન બદલી નાખવો જોઈએ. પરંતુ સવાલ એ છે કે, જો કેવી રીતે જાણવું કે ફોનમાંથી કેટલું રેડિયેશન નીકળી રહ્યું છે?
કેટલું રેડિયેશન ફેલાવે છે ફોન?
મોબાઇલથી નીકળતા રેડિયેશનને SAR વેલ્યૂમાં માપવામાં આવે છે. SAR નું ફૂલ ફોર્મ Specific Absorption Rate છે. જો તમે ફોન કાઢી લીધા પછી ફોનનું બોક્સ ફેંકી દીધું હોય, તો કોઈ વાંધો નથી, અમે તમને જણાવીશું કે તમારા ફોનનું SAR વેલ્યુ જાણવા માટે તમે ફોનમાં કયો કોડ દાખલ કરી શકો છો.
SAR વેલ્યુ ચેક કોડ
ફોનનું ડાયલ પેડ ખોલો, પછી *#07# કોડ ડાયલ કરો. આ કોડ ડાયલ કરતાની સાથે જ ફોનની સ્ક્રીન પર એક પોપ-અપ દેખાશે જેમાં તે લખવામાં આવશે કે ફોનની SAR વેલ્યુ શું છે.
SAR વેલ્યૂ લિમિટ કેટલી હોવી જોઈએ?
ભારતમાં SAR વેલ્યૂ લિમિટ નક્કી છે, કોઈપણ સંજોગોમાં રેડિએશન લેવલ 1.6 વોટ પ્રતિ કિલોગ્રામ (W/kg)થી વધુ ન હોવું જોઈએ. જો તમારા ફોનનું લેવલ આનાથી વધુ હોય તો તરત જ ફોન બદલી નાખો, નહીં તો તે તમારા સ્વાસ્થ્યને માત્ર ટૂંકા ગાળામાં જ નહીં પરંતુ લાંબા ગાળા માટે પણ અનેક નુકસાન પહોંચાડી શકે છે.