RADHANPUR KAILASH PLAZA FIRE : રાધનપુરના કૈલાશ પ્લાઝામાં શોટ સર્કિટના કારણે દુકાનો બળીને ખાખ

RADHANPUR KAILASH PLAZA FIRE : આગ સંપૂર્ણપણે બુઝાય ત્યાં સુધીમાં દુકાનોમાં મોટું નુકસાન થઈ ચૂક્યું હતું. વેપારીઓ માટે આ આર્થિક ફટકો ખૂબ મોટો છે. વહીવટી તંત્ર દ્વારા નુકસાનનો અંદાજ મેળવવાની અને દુકાનદારોને મદદરૂપ થવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
રાધનપુર શહેરના કૈલાશ પ્લાઝા શોપિંગ સેન્ટરમાં આજે સવારે એક મોટો બનાવ બન્યો હતો. શોપિંગ સેન્ટરના એક ભાગમાં અચાનક આગ ફાટી નીકળી હતી, જેણે જોતજોતામાં અનેક દુકાનોને પોતાની ચપેટમાં લઈ લીધી હતી.
RADHANPUR KAILASH PLAZA FIRE : આગ એટલી ભીષણ હતી કે દુકાનોમાં રાખેલો ઇલેક્ટ્રોનિક્સ, કાપડ, અને અન્ય કીમતી માલસામાન સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયો હતો, જેના કારણે વેપારીઓને લાખો રૂપિયાનું મોટું નુકસાન થયું છે. આગ લાગવાનું પ્રાથમિક અનુમાન શોટ સર્કિટ હોવાનું માનવામાં આવે છે, પરંતુ ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આગની જાણ થતાં જ પાટણથી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર ટીમે ભારે જહેમત અને કલાકોની મહેનત બાદ આ ભીષણ આગને કાબૂમાં લીધી હતી અને આગને અન્ય દુકાનોમાં ફેલાતી અટકાવી હતી. જોકે, આગ સંપૂર્ણપણે બુઝાય ત્યાં સુધીમાં દુકાનોમાં મોટું નુકસાન થઈ ચૂક્યું હતું.
વેપારીઓ માટે આ આર્થિક ફટકો ખૂબ મોટો છે. વહીવટી તંત્ર દ્વારા નુકસાનનો અંદાજ મેળવવાની અને દુકાનદારોને મદદરૂપ થવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.