
શત્રુંજય જૈનતીર્થના સંરક્ષણ માટે સરકારનાં હકારાત્મક પ્રતિસાદને આવકારતા યુવા જૈન અગ્રણી શ્રી જીગર છેડા. સીટ દ્વારા ઝડપભેર સુરક્ષા સુનિશ્ચિત કરવાની કાર્યવાહિ થાય એવી લાગણી.
શત્રુંજય તીર્થ પાલીતાણાએ વિશ્વભરનાં જૈનોની શ્રધ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે.દર વર્ષે લાખો જૈન શ્રધ્ધાળુઓ શત્રુંજય તીર્થની પરિક્રમા માટે ગુજરાતના પાલીતાણાની મુલાકાત લે છે.જૈન ધર્મની વૈશ્વીક ધરોહર સમાન શત્રુંજય તીર્થને નુકશાન પહોંચાડી ત્યાં અપ્રવિત્ર પ્રવૃત્તિ આચરનારાઓ વિરુધ્ધ પગલાં ભરવાની સમસ્ત જૈન સમાજની માંગને ધ્યાને લઈને સરકારે સીટની રચના કરી હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે એ આવકાર્ય છે.
ભાવનગર જિલ્લા કલેકટરશ્રીની અધ્યક્ષતામાં કાર્ય કરનાર સીટના સંલગ્ન વિભાગો પોલીસ,રેવન્યુ, ખાણ ખનિજ ખાતુ સહિત સૌ હવે શત્રુંજય તીર્થની સુરક્ષા સુનિશ્ચિત કરવાની દિશામાં ઝડપભેર કાર્યવાહિ આરંભે એવી સમગ્ર જૈન સમાજ વતી રજુઆત કરી હતી.માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને માન. ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ સહિત સમગ્ર સરકારના હકારાત્મક પ્રતિસાદ બદલ આભારની લાગણી વ્યકત કરી હતી.