
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના (Gandhi) પૌત્ર અને લેખક અરૂણ ગાંધીનું આજે અહીં નિધન થયું છે. તો 89 વર્ષના હતા. એમના અંતિમસંસ્કાર કરવામાં કોલ્હાપુરમાં આવશે એમ તેમના પુત્ર તુષાર ગાંધીએ (Gandhi) કહ્યું છે.
અરૂણ ગાંધી (Gandhi) છેલ્લા બે મહિનાથી કોલ્હાપુરમાં રહેતા હતા. તેઓ ગાંધીજીના દ્વિતીય પુત્ર મણીલાલ ગાંધી(Gandhi) ના પુત્ર હતા. અરૂણ ગાંધીનો જન્મ 1934ની 14 એપ્રિલે દક્ષિણ આફ્રિકાના ડરબનમાં થયો હતો. દાદા મહાત્મા ગાંધીને પોતાના આદર્શ ગણીને તેમણે અનેક સામાજિક કાર્યોમાં સક્રિય રીતે ભાગ ભજવ્યો હતો.