દુષ્કર્મ બાદ વિધવાએ જન્મ આપેલી બાળકીનું દોઢ માસ બાદ મોત નીપજ્યું

સિદ્ધપુર તાલુકાના વાઘણા ગામની વિધવા મહિલા પર ગામના શખ્સે દુષ્કર્મ આચરતાં ગર્ભ રહેતા મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો. મહિલાની એટ્રોસિટી અને દુષ્કર્મની ફરિયાદ આધારે આરોપીને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. આ દરમિયાન દોઢ માસમાં બાળકીની તબિયત લથડતા મોત થયું હતું. કાકોશી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. વધાણા ગામમાં રહેતી મહિલા પતિના મોત બાદ 17 વર્ષની દીકરી સાથે રહેતી હતી. એકાદ વર્ષ અગાઉ મહિલા પર ગામના જાલમસિંહ ઉર્ફે ઝાલા ઠાકોરે દુષ્કર્મ આચર્યું હતું.

મહિલાએ સમાજની બદનામીના કારણે છુપાવતા મહિલાને ગર્ભ રહેતાં પ્રસૂતિનો દુખાવો ઉપાડતા સિદ્ધપુર સિવિલમાં સારવાર અર્થેે લાવ્યા હતા. 25/08/2022ના રોજ અધૂરા માસે બાળકીને જન્મ આપ્યો હતો. બાળકીને જન્મ આપ્યા બાદ મહિલાએ કાકોશી પોલીસ મથકે જાલમસિંહ ઉર્ફે ઝાલા ઠાકોરે દુષ્કર્મ અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીને ઝડપીને જેલના સડિયા પાછળ ધકેલી દીધો હતો. બાળકીને 10 દિવસ પેટીમાં રાખી સારવાર બાદ વિધવા મહિલા વાધણા ખાતે આવ્યા હતા. બાળકીનું નામ ખુશી રાખ્યું હતું.

દોઢ માસ બાદ બાળકીની અચાનક તબિયત લથડતા તાત્કાલિક નજીકની હોસ્પિટલ લઈ જતા ડોક્ટરે મૃત જાહેર કરી હતી.આ ઘટનાની જાણ થતા કાકોશી પોલીસે સિદ્ધપુર સિવિલમાં પેનલ ડોક્ટરથી પીએમ કરાવી મૃતદેહને વાલીવારસાને સોંપ્યો હતો. કાકોશી પોલીસ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કાકોશી પીએસઆઇ એસ.બી.સોલંકીએ જણાવ્યું હતું કે બાળકીને તાવ,શરદી થયેલ અને એક કુપોષિત હોવાથી દુર્બળતા પણ એના શરીરમાં હોવાના કારણે પ્રાથમિક દ્રષ્ટિએ એનું મોત થયું હોવાનું જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *