Covid-19 IN AHMEDABAD : અમદાવાદમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો, છેલ્લા 24 કલાકમાં નવા 17 કેસ નોંધાયા.

Covid-19 IN AHMEDABAD : અમદાવાદમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો, છેલ્લા 24 કલાકમાં નવા 17 કેસ નોંધાયા.

Covid-19 IN AHMEDABAD
Covid-19 IN AHMEDABAD

અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં નવા 17 કેસ નોંધાયા છે. જ્યારે બે લોકો હાલ સારવાર હેઠળ છે.

Covid-19 IN AHMEDABAD : અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં નવા 17 કેસ નોંધાયા છે. જ્યારે બે લોકો હાલ સારવાર હેઠળ છે. ગુજરાતમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. અમદાવાદમાં કોરોના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે.

Covid-19 IN AHMEDABAD : અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં કોરોનાના 17 નવા કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 17 કોરોનાના કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં હાલ કોરોનાના 76 એક્ટિવ કેસ છે. જ્યારે 2 દર્દીઓ હોસ્પિટલમાં સારવારમાં છે. નોંધનીય છે કે અમદાવાદમાં આ મહિને કોરોનાના કુલ 89 કેસ નોંધાયા છે.અમદાવાદમાં ફરી એકવાર કોરોના વાયરસનું સંક્રમણ વધ્યું છે. અમદાવાદમાં કેસમાં સતત વધારો થતા લોકોએ સાવચેતી રાખવી ખૂબ જરુરી છે.

Covid-19 IN AHMEDABAD : વિશ્વના ઘણા દેશોની જેમ ભારતમાં પણ કોરોના સંક્રમણના કેસોમાં ફરીથી વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં, ભારતમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 1000 ને વટાવી ગઈ છે, જેમાંથી સૌથી વધુ 430 કેસ કેરળમાં અને 209 કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. દિલ્હીમાં પણ 104 સક્રિય કેસ મળી આવ્યા છે, જ્યારે ગુજરાત અને કર્ણાટકમાં પણ કેસોમાં વધારો જોવા મળ્યો છે.

Covid-19 IN AHMEDABAD : આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, આ સમયગાળા દરમિયાન 24 દર્દીઓ સ્વસ્થ પણ થયા છે, છતાં વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે સાવચેતી રાખવાના નિર્દેશો આપ્યા છે. આવી સ્થિતિમાં, લોકોના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું તેમને આપવામાં આવેલી કોરોના રસી અને બૂસ્ટર ડોઝની અસર હજુ પણ શરીરમાં છે અને તે કેટલો સમય સુધી કામ કરે છે.

Covid-19 IN AHMEDABAD : દેશમાં હાલમાં જે કોરોના કેસ નોંધાઈ રહ્યા છે તેમાં કોવિડના ઓમિક્રોન વેરિઅન્ટના પેટા પ્રકારોનો સમાવેશ થાય છે. તેમના પેટા પ્રકારો JN.1 અને LF.7 મુખ્યત્વે ઉભરી રહ્યા છે, જેમાં મોટાભાગના કેસો JN.1 ના છે. ICMR ના ડાયરેક્ટર ડૉ. રાજીવ બહલે જણાવ્યું છે કે દેશમાં અત્યાર સુધીમાં 4 પ્રકારો મળી આવ્યા છે: LF.7, XFG, JN.1 અને NB.1.8.1. ડોક્ટરો ભારપૂર્વક કહે છે કે લોકોએ ગભરાવું જોઈએ નહીં, કારણ કે આ બધા પ્રકારો એટલા ખતરનાક નથી અને અફવાઓથી દૂર રહેવું જોઈએ. પોતાની સુરક્ષા માટે સાવચેતી રાખવી મહત્વપૂર્ણ છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *