
AAP કાલથી કેજરીવાલ 3 દિવસ ગુજરાતમાં
AAP આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ રવિવારથી ત્રણ દિવસ માટે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ કોટડા સાંગાણીમાં પાક નિષ્ફળ જવાના કારણે આત્મહત્યા કરી લેનાર ખેડૂતના પરિવારજનો સાથે મુલાકાત કરશે. આ ઉપરાંત બોટાદમાં ખેડૂત મહાપંચાયત દરમિયાન થયેલા ઘર્ષણ બાદ જેલમાં બંધ AAP નેતાઓ સાથે પણ મુલાકાત કરશે. જામનગરમાં ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાના મુદ્દે તેઓ પ્રેસ કોન્ફરન્સ પણ સંબોધશે.