સોમનાથના 15 ગામને જોડતો કાજલી યાર્ડથી કાજલી ગામ સુધી માર્ગ બિસ્માર, વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલી

સોમનાથના 15 ગામને જોડતો કાજલી યાર્ડથી કાજલી ગામ સુધી માર્ગ બિસ્માર, વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલી

સોમનાથ
0

જ્યોતિર્લિંગ મહાદેવ થી હિરણ નદીના પુલ પરથી પસાર થતો મુખ્ય માર્ગ અત્યંત ખરાબ સ્થિતિમાં છે. આ માર્ગ કાજલી, બાદલપરા સોનારીયા, ઇન્દ્રોય, નાવદ્રા સહિત 15થી વધુ ગામને જોડે છે.

સોમનાથ 1
 1

કાજલી યાર્ડથી કાજલી ગામ સુધીના રસ્તા પર મોટા ખાડાઓ પડી ગયા છે. આ માર્ગ પરથી મોટી સંખ્યામાં ગ્રામ્ય વિસ્તારના લોકો અવરજવર કરે છે. ખાડાઓને કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

સોમનાથ 2
2

બાદલપરા ગામના રહેવાસી જશુભાઈ કછોટના જણાવ્યા મુજબ, દર ચોમાસામાં આ માર્ગની સ્થિતિ વધુ કથળે છે. દેશના પ્રથમ જ્યોતિર્લિંગ મહાદેવ મંદિરે આવતા યાત્રિકોને પણ આ માર્ગનો ઉપયોગ કરવો પડે છે. આ પરિસ્થિતિ ગીર સોમનાથ જિલ્લાની છબિને નુકસાન પહોંચાડે છે.

સોમનાથ 3
3

સ્થાનિક લોકોએ તંત્રની નિષ્ક્રિયતા સામે નારાજગી વ્યક્ત કરી છે. ગ્રામજનોએ સરકાર પાસે માર્ગની તાત્કાલિક મરામત કરાવવાની માંગણી કરી છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *