
વેલસ્પન ફાઉન્ડેશન અને મમતા HIMC દ્વારા અંજાર તાલુકા માં TB( ક્ષય રોગ) જાગૃતિ માટે નાટકો યોજવામાં આવ્યા
વેલસ્પન ફાઉન્ડેશન અને મમતા HIMC દ્વારા અંજાર કચ્છ 10 ગામોમાં ટીબી વિશે જન જાગૃતિ અને નસીલા પદાર્થના દુરુપયોગ પર ધ્યાન કેન્દ્રિત કરતા પ્રોજેક્ટ વેલસ્વસ્થ્ય હેઠળ અરિહંત આર્ટ કોમ્યુનિકેશ સંસ્થા કલાકારો દ્રારા શેરીનાટક/નુકડ નાટક નું આયોજન કર્યું હતું જેમાં કલાકારો દ્વારા ખુબજ સુંદર કલા ના માધ્યમ દ્રારા ગામજનોને નાટક દ્રારા સમજણ આપી હતી જેમાં 1300 જેટલા ગ્રામજનો, સ્ટેકહોલ્ડર્સ, FLHWs, વિદ્યાર્થીઓ અને સરપંચ સહિત જાગૃતિ શેરી નાટકમાં ભાગ લીધો. ગોપાલ નગર , લોહારીયા , ચંદીયા, દુધઈ, આંબાપર , સતાપર, મીઠા પાસવારીયા, ભીમાસર, અજાપર , મોદવાદર સહિત વિસ્તારો માં અરિહંત આર્ટ કમ્યુનિકેશન ના કલાકારો પૂજા બેન લખવારા , કુસુમ બેન , નીતિને ભાઈ , ઠાકોર ભાઈ ગામડાઓમાં શેરી નાટકની ઝલક આપી હતી.
