ભારતીય મહિલા ક્રિકેટરોએ રંગ રાખ્યો , બીજી વનડેમાં શ્રીલંકાને આપ્યો 10 વિકેટથી પરાજય

ભારતીય મહિલા ક્રિકેટરોએ રંગ રાખ્યો , બીજી વનડેમાં શ્રીલંકાને આપ્યો 10 વિકેટથી પરાજય

શ્રીલંકામાં રમાઈ રહેલી ત્રણ મેચોની સિરિઝમાં ભારતીય મહિલા ટીમે દમદાર પ્રદર્શન કરી દેખાડ્યું છે. બીજી વનડેમાં શ્રીલંકાને 10 વિકેટથી પરાજય આપીને સિરિઝ પોતાને નામે કરી લીધી છે. ભારતીય ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય લીધો હતો. ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરનો આ નિર્ણય સાચો સાબિત થયો. પહેલી ઓવરમાં જ શ્રીલંકાઈ ઓપનર હસીની પરેરાને ભારતીય બોલર રેણુકાસિંહે બોલ્ડ કરી દીધો હતો. 

બીજી વનડેમાં શ્રીલંકાને આપ્યો 10 વિકેટથી પરાજય

પહેલા બેટિંગ કરીને શ્રીલંકન ટીમે 50 ઓવરમાં 10 વિકેટના નુકશાન પર ફક્ત 173 રન બનાવ્યાં હતા.  ભારતને 174 રનનો પીછો કરવામાં કોઇ સમસ્યા નડી ન હતી કારણ કે સોમવારે શ્રીલંકા સામેની બીજી વન-ડેમાં દસ વિકેટે વિજય મેળવ્યો હતો.  રેણુકા સિંઘે ચાર વિકેટ ઝડપીને પુનરાગમન કરતાં ભારતે ત્રણ મેચની શ્રેણીની ચાલી રહેલી બીજી વન ડેમાં શ્રીલંકાને 173 રનમાં સમેટી લીધું હતુ. ભારત તરફથી દીપ્તિ શર્મા અને મેઘના સિંઘે પણ બે વિકેટ ઝડપી હતી. યજમાનો તરફથી અમા કંચનાએ સૌથી વધુ 47 રનની ઈનિંગ રમી હતી. આ પહેલા હરમનપ્રીત કૌરે સોમવારે ત્રણ મેચોની શ્રેણીની બીજી વનડેમાં શ્રીલંકા સામે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. ભારતે પોતાની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી. ભારત ચાલુ શ્રેણીમાં અનુપલબ્ધ લીડ મેળવવાનો પ્રયત્ન કરશે કારણ કે ટીમે પ્રથમ વનડે ચાર વિકેટથી જીતી લીધી હતી. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *