
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 285 નવા દર્દીઓ નોંધાયા છે. જયારે 422 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીના પરિણામે રાજ્યમાં સાજા થવાનો 97.10 ટકા પર પહોંચ્યો છે. રાજ્યભરમાં કુલ 40,550 દર્દીઓનું રસીકરણ થયું.
સુરતમાં 33, અમદાવાદમાં 60, વડોદરામાં 76, રાજકોટમાં 31, ગાંધીનગરમાં 8, જામનગરમાં 6, ભરૂચમાં 1, જૂનાગઢમાં 2, મોરબીમાં 3, અમરેલીમાં 4, સાબરકાંઠામાં 2, કચ્છમાં 3 કેસ નોંધાયા છે.