
WHO એ 4 કફ સિરપને લઇને એલર્ટ કર્યુ છે. તેના પર મેડેન ફાર્માસ્યૂટિકલ્સના અધિકારીએ કહ્યું કે કંપની ગામ્બિયામાં બાળકોના મૃત્યુ સંબંધિત ઘટનાની જાણકારી મેળવવાનો પ્રયાસ ચાલુ છે
WHO : વ્લર્ડ હેલ્થ ઓરગેનાઇઝેશન WHOએ એક ભારતીય કંપનીની 4 દવાઓ વિરુદ્ધ એલર્ટ જારી કર્યો છે જેના કારણે ગામ્બિયામાં 66 બાળકોનું મોત થવાનું અને કિડનીને ગંભીર નુક્સાન પહોંચ્યાનું સામે આવ્યું છે. આ દવા સર્દી અને ઉધરસની સિરપ છે. તેના પછી ઑસ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટએ કહ્યું કે કફ સિરપનાં નિર્માણ કરવાવાળી હરિયાણા સ્થિત કંપની ભારતમાં દવાઓનો કોઇ સપ્લાય કરતી નથી. જોકે એસોસિયેશનએ આશ્વાસન આપતા કહ્યું કે તેઓ દવા નિર્માતાથી સંબંધિત ભારતના ડ્રગ્સ કંટ્રોલર જનરલ દ્વારા આપવામાં આવેલ આચારસંહિતાનું પાલન કરશે.
WHO એ 4 કફ સિરપને લઇને આપ્યું એલર્ટ
સૂત્રોની માહિતી અનુસાર ભારતમાં મેઇડન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ પાસે દવાઓનો ખાસ પુરવઠો નથી, તેઓ માત્ર તેમના ઉત્પાદનોનો નિકાસ કરે છે છતાં પણ જો ભારતના ડ્રગ્સ કંટ્રોલર જનરલ દ્વારા કોઇ દિશા-નિર્દેશો જાહેર કરવામાં આવે છે તો તેઓ તેનું પાલન કરશે.
WHOએ કફ સિરપને લઇને આપ્યું એલર્ટ
WHO એ મેડેન ફાર્માસ્યૂટિકલ્સ લિમિટેડ દ્વારા બનાવવામાં આવતી કફ સિરપ સંભવત: ગાંબિયયામાં બાળકોનાં થઇ રહેલા મોત સાથે સંકળાયેલી હોઇ શકે છે. WHOના મહાનિર્દેશક ટેડ્રોસ ઘેબિયસનાં સંવાદદાતાઓએ કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રની એજંસી ભારતની દવા રેગ્યુલેટર સાથે કિડનીની ગંભીર ઇજાને લીધે 66 બાળકોનું મોત થયું છે.
WHO : લિસ્ટમાં આ દવાઓનું નામ છે.
WHOએ પ્રોમેથાજિન ઓરલ સોલ્યુશન, કોફેક્સમાલિન બેબી કફ સિરપ, મકૉફ બેબી કફ સિરપ અને મૈગ્રીપ એન કોલ્ડ સિરપને ખરાબ દવાઓની લિસ્ટનાં રૂપમાં લખાયું છે. કારણકે તેમાં ડાયથાયલીન ગ્લાઇકોલ અને એથિલીન ગ્લાઇકોલની અસ્વીકાર્ય માત્રા છે. મેડેન ફાર્માસ્યૂટિકલ્સનાં એક વરિષ્ઠ કાર્યકારીએ કહ્યું કે કંપની ગામ્બિયામાં પોતાના ખરીદદારથી બાળકોનાં મોત સંબંધિત ડિટેલ્સ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે.