બાબર આઝમના આઉટ થતા જ પાકિસ્તાનની અડધી ટીમ આઉટ થઇ ગઇ- ભૂવનેશ્વર કુમાર

એશિયા કપ 2022ની પ્રથમ મેચમાં પાકિસ્તાન પર ભારતની જીતમાં મહત્વની ભૂમિકા નીભાવનારા ખેલાડીઓમાં સામેલ થઇ રહેલા ભારતીય ફાસ્ટ બોલર ભૂવનેશ્વર કુમારનું માનવુ છે કે દરેક વિરોધી ખેલાડી ઠોસ યોજના હોવુ એટલુ જ મહત્વપૂર્ણ છે કે જેટલુ મેદાન પર પોતાની કલાનું પ્રદર્શન કરવુ. ભૂવનેશ્વર કુમારે પાકિસ્તાન વિરૂદ્ધ ભારતની પાંચ વિકેટની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા નીભાવતા વિરોધી કેપ્ટન બાબર આઝમ સહિત ચાર વિકેટ ઝડપી હતી.

ભૂવનેશ્વર કુમારે કહ્યુ કે દર ખેલાડી માટે મહત્વપૂર્ણ છે કે તેની પાસે પહેલા જ યોજના હોય, પછી આ બેટિંગ હોય અથવા બોલિંગ કરી કારણ કે ટી-20 ઘણી ઝડપથી બદલનારૂ ફોર્મેટ છે, તેમણે કહ્યુ કે વિકેટથી સ્વિંગ કરવામાં મદદ મળી નહતી રહી અને ઉછાળ પણ વધુ હતો માટે અમે યોજના બનાવી છે. અમે જાણીયે છીએ કે બેટિંગની શું તાકાત છે અને જ્યારે અમે કેટલાક બોલ ફેકીએ છીએ તો સારો નજરિયો મળે છે. આ ફાસ્ટ બોલરે કહ્યુ કે મારૂ માનવુ છે કે રમત વિશે વિચારવુ એટલુ મહત્વપૂર્ણ છે જેટલુ તમારૂ કૌશલ.

ભૂવનેશ્વર કુમારને લાગે છે કે બાબર આઝમની વિકેટે પાકિસ્તાનની યોજનાને નુકસાન પહોચાડ્યુ કારણ કે ઇનિંગને આગળ વધારવુ તેની પર નિર્ભર કરે છે, તેમણે કહ્યુ કે બાબર આઝમના આઉટ થયા બાદ અમે નહતુ વિચાર્યુ કે પાકિસ્તાનની અડધી ટીમ આઉટ થઇ ગયા છે. તે એક સારો ખેલાડી છે પરંતુ ટેકનિકલ રીતે નવ અન્ય બેટ્સમેન બાકી હતા. ભૂવનેશ્વર કુમારે કહ્યુ કે એક ટીમના રૂપમાં અમને નથી લાગતુ કે જો સર્વશ્રેષ્ઠ બેટસમેન આઉટ થઇ જાય છે તો અડધી ટીમ આઉટ થઇ જાય છે, તેમણે કહ્યુ કે પરંતુ હાં એક વખત જ્યારે તે આઉટ થઇ ગયો તો અમને ખબર પડે છે કે તેમની યોજના પ્રભાવિત થશે કારણ કે ઇનિંગને આગળ વધારનાર બેટ્સમેન આઉટ થઇ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *