
IAS Transfer List : રાજ્યના 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમારની CMના પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિમણૂક
IAS Transfer List : ગુજરાત સરકારે 26 સિનિયર IAS અધિકારી બદલી કરી દીધી છે. સંજીવ કુમારની CMOમાં પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નિમણૂંક કરાઇ છે તો તેઓ મુખ્ય સેક્રેટરી એમ.કે.દાસને રિલિવ કરશે. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 23 ડિસેમ્બર, 2025ના રોજ 26 IAS અધિકારીઓની બદલી અંગે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.
IAS Transfer List : સંજીવ કુમાર, IAS ગુજરાત કેડરના 1998 બેચના અધિકારી છે. અત્યારે ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે. હવે તેમની બદલી કરીને મુખ્યમંત્રી પ્રિન્સિપલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. જુઓ લિસ્ટ
IAS Transfer List : મુખ્યમંત્રી કાર્યાલય (CMO) માં મહત્વના ફેરફાર
IAS Transfer List : સંજીવ કુમાર (IAS 1998): વન અને પર્યાવરણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીને હવે મુખ્યમંત્રીના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નિમણૂક આપવામાં આવી છે. તેઓ ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીનો વધારાનો હવાલો પણ સંભાળશે.
IAS Transfer List : ડૉ. વિક્રાંત પાંડે (IAS 2005): તેઓની પદવી હવે મુખ્યમંત્રીના એડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે રહેશે. સાથે જ તેઓ માહિતી અને પ્રસારણ વિભાગનો વધારાનો હવાલો સંભાળશે.
IAS Transfer List : અજય કુમાર (IAS 2006): ડેપ્યુટેશનથી પરત ફરતા તેમને મુખ્યમંત્રીના સેક્રેટરી તરીકે નિયુક્ત કરાયા છે. તેઓ ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB) ના VC અને CEO નો વધારાનો ચાર્જ પણ સંભાળશે.
IAS Transfer List : વિભાગીય સેક્રેટરીની બદલીની વિગતો
IAS Transfer List : રાજીવ ટોપનો (IAS 1996): સ્ટેટ ટેક્સ કમિશનરથી બદલી કરી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે.
IAS Transfer List : મુકેશ કુમાર (IAS 1996): શિક્ષણ વિભાગ (પ્રાથમિક અને માધ્યમિક) માંથી બદલી કરીને શિક્ષણ વિભાગ (ઉચ્ચ અને ટેકનિકલ) ના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે મુકાયા છે.
IAS Transfer List : મિલિંદ તોરવણે (IAS 2000): પંચાયત અને ગ્રામીણ વિકાસમાંથી બદલી કરી શિક્ષણ વિભાગ (પ્રાથમિક અને માધ્યમિક) ના પ્રિન્સિપલ સેક્રેટરી બનાવાયા છે.
IAS Transfer List : અશ્વિની કુમાર (IAS 1997): રમત-ગમત અને સાંસ્કૃતિક વિભાગમાંથી બદલી કરી ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નિમણૂક અપાઈ છે.
IAS Transfer List : ડૉ. વિનોદ રાવ (IAS 2000): શ્રમ અને રોજગાર વિભાગમાંથી બદલી કરી વન અને પર્યાવરણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નિયુક્ત થયા છે.
IAS Transfer List : અંજુ શર્મા (IAS 1991): કૃષિ વિભાગના ACS થી બદલી કરી સામાન્ય વહીવટ વિભાગ (પર્સનલ) ના એડિશનલ ચીફ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે.
IAS Transfer List : ધનંજય દ્વિવેદી (IAS 1998): આરોગ્ય વિભાગમાંથી બદલી કરી પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે મુકાયા છે.
IAS Transfer List : મહત્વની સંસ્થાઓ અને અન્ય નિમણૂકો
અવંતિકા સિંઘ ઔલખ (IAS 2003): મુખ્યમંત્રીના વધારાના પ્રિન્સિપલ સેક્રેટરી પદેથી મુક્ત કરી GSPC ના મેનેજિંગ ડિરેક્ટર (MD) તરીકે નિમણૂક અપાઈ છે. તેઓ ગુજરાત ગેસ અને GSPC LNG નો વધારાનો હવાલો પણ સંભાળશે.
રાજકુમાર બેનીવાલ (IAS 2004): GMB ના CEO પદેથી બદલી કરી GNFC (ભરૂચ) ના મેનેજિંગ ડિરેક્ટર તરીકે મુકાયા છે.
સંદીપ કુમાર (IAS 2002): કૃષિ વિભાગના સેક્રેટરીથી બદલી કરી નાણા વિભાગ (આર્થિક બાબતો) ના સેક્રેટરી બનાવાયા છે.
જેનુ દેવન (IAS 2006): સ્ટેમ્પ ડ્યુટી નિરીક્ષકથી બદલી કરી નાણા વિભાગ (ખર્ચ) ના સેક્રેટરી બનાવાયા છે. તેઓ GUVNL ના MD નો ચાર્જ ચાલુ રાખશે.
લોચન સેહરા (IAS 2002): ડેપ્યુટેશનથી પરત ફરતા શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના સેક્રેટરી તરીકે નિમણૂક પામ્યા છે.
મોહમ્મદ શાહિદ (IAS 1998): સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીને હવે આદિજાતિ વિકાસ વિભાગની જવાબદારી સોંપાઈ છે.