2 TERRORIST KILLED IN JAMMU KASHMIR : કાશ્મીરમાં ‘ઓપરેશન અખલ’, સેનાએ 2 આતંકવાદીઓને ઠાર કર્યા એમાંથી 1 ગુપ્તચર એજન્સીઓની હિટ-લિસ્ટમાં હતો

2 TERRORIST KILLED IN JAMMU KASHMIR : જમ્મુ-કાશ્મીરના કુલગામના અખાલ જંગલમાં શનિવારે સુરક્ષા દળોએ અત્યાર સુધીમાં બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. બંનેના મૃતદેહ પણ મળી આવ્યા છે. એક આતંકવાદીની ઓળખ પુલવામાના હરિસ નઝીર ડાર તરીકે થઈ છે. જોકે, બીજાનું નામ જાહેર કરવામાં આવ્યું નથી.

2 TERRORIST KILLED IN JAMMU KASHMIR : હારિસ આજે સવારે માર્યો ગયો હતો, જ્યારે બીજો આતંકવાદી બપોરે માર્યો ગયો હતો. હારિસ સી-કેટેગરીનો આતંકવાદી હતો. તે 14 સ્થાનિક આતંકવાદીઓની યાદીમાં હતો જેમના નામ ગુપ્તચર એજન્સીઓ દ્વારા 26 એપ્રિલે પહેલગામ હુમલા બાદ જાહેર કરવામાં આવ્યા હતા. તેની પાસેથી AK-47 રાઇફલ, મેગેઝિન અને ગ્રેનેડ અને દારૂગોળો મળી આવ્યો છે.
કુલગામમાં ગઈકાલે રાત્રે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતું. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, જમ્મુ-કાશ્મીર પોલીસ, સેના અને CRPF ‘ઓપરેશન અખલ’ ચલાવી રહ્યા છે. જંગલમાં વધુ આતંકવાદીઓ છુપાયેલા હોવાની શંકા છે. બંને બાજુથી ગોળીબાર ચાલુ છે.
ભારતીય સેનાના ચિનાર કોર્પ્સે શનિવારે સવારે એક આતંકવાદીને ઠાર માર્યાની માહિતી આપી હતી.

2 TERRORIST KILLED IN JAMMU KASHMIR : એક અધિકારીએ જણાવ્યું હતું કે શુક્રવારે સાંજે વિસ્તારમાં આતંકવાદી ગતિવિધિઓ અંગે ગુપ્ત માહિતી મળ્યા બાદ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કર્યો હતો, ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું હતું. જંગલમાં છુપાયેલા આતંકવાદીઓની કુલ સંખ્યા અંગે હજુ સુધી માહિતી મળી નથી. ઓપરેશન હાથ ધરવા માટે વધુ સુરક્ષા દળોને વિસ્તારમાં મોકલવામાં આવ્યા છે.
જમ્મુ અને કાશ્મીરમાં આ અઠવાડિયામાં આ ત્રીજું એન્કાઉન્ટર છે. અગાઉ, 28 જુલાઈના રોજ, સુરક્ષા દળોએ ઓપરેશન મહાદેવ હેઠળ લિડવાસના જંગલોમાં પહેલગામ હુમલામાં સામેલ 3 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. 31 જુલાઈના રોજ, પૂંછમાં LoC નજીક ઘૂસણખોરી દરમિયાન વધુ બે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા.
સુરક્ષા દળો દ્વારા જે 14 આતંકવાદીઓની યાદી બહાર પાડવામાં આવી હતી, તેમાંથી 7 અત્યાર સુધીમાં માર્યા ગયા છે. હરિસ નઝીર સિવાય, બાકીના 6આતંકવાદીઓ મે મહિનામાં શોપિયા અને પુલવામામાં એન્કાઉન્ટર દરમિયાન માર્યા ગયા હતા.
13 મેના રોજ શોપિયામાં માર્યા ગયેલા આતંકવાદીઓના નામ શાહિદ કુટ્ટે, અદનાન શફી, અહસાન ઉલ હક શેખ હતા. 15 મેના રોજ પુલવામા એન્કાઉન્ટરમાં આમિર નઝીર વાની, યાવર અહેમદ ભટ અને આસિફ અહેમદ શેખ માર્યા ગયા હતા.