AHMEDABAD TEMPLE : 700 વર્ષ જૂના ત્રિકમજી મંદિરનો વિવાદ, અમદાવાદના ભૂમાફિયાઓએ પચાવી બારોબાર વેચી નાખ્યું

- અમદાવાદમાં મૂળ મંદિરની જગ્યા બારોબાર વહીવટ કરવાનું કૌભાંડ
- જમાલપુર વિસ્તારમાં ત્રિકમજી મંદિરની જગ્યા બારોબાર વેચવાનું કૌભાંડ
- ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે નોંધાઈ ફરિયાદ
- ખોટા દરખાસ્તના આધારે જમીન પચાવી પાડવાની થઈ ફરિયાદ
AHMEDABAD TEMPLE : અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા 700 વર્ષ જુના પ્રાચીન ત્રિકમજી મંદિરની કરોડો રૂપિયાની જમીન ભૂમાફિયાઓએ ગેરકાયદે કબજે કરી બારોબાર વેચી દીધી હોવાની ફરિયાદ નોંધાઈ છે. સાત લોકો વિરૂદ્ધ નોંધાયેલી ફરિયાદમાં બેની ધરપકડ કરવામાં આવી હોવાનું ગાયકવાડ હવેલી પોલીસ મથકે જણાવ્યું છે. આ સાત ભૂમાફિયાઓએ બોગસ દસ્તાવેજ અને ઠરાવ પસાર કરીને ચેરીટી કમિશનરના તાબાની જમીનનો બોગસ વેચાણ દસ્તાવેજ તૈયાર કર્યો હતો.
AHMEDABAD TEMPLE : જાહેર ટ્રસ્ટની માલિકીની જમીનના મામલે હાઈકોર્ટે વેચાણ પર રોક મૂકી હોવા છતાં 2.36 લાખ કરોડ રૂપિયામાં સોદો કરવામાં આવ્યો છે. જાહેર ટ્ર્સ્ટ નોંધણી કચેરીના નિરીક્ષક બ્રિજેશ પરમારે ગાયકવાડ હવેલી પોલીસ મથકે આ મામલે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર, જમાલપુરમાં સ્થિત 700 વર્ષ જૂના ત્રિકમજી મંદિરની નોંધણી બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ 1951માં થઈ હતી. જેમાં ચેરીટી કમિશનર ગુજરાત રાજ્ય દ્વારા ભોગીલાલ ત્રિકમલાલ, મહંત સીયારામ દાસજી, કાંતિલાલ શાહ અને બાબુભાઈ રાવલની ટ્રસ્ટી તરીકે નોંધણી કરવામાં આવી હતી. ત્યારબાદ કોઇ ટ્રસ્ટી ન હોવાથી આ મંદિરની જમીનની માલિકી ચેરીટી કમિશનર કચેરીની થઈ હતી.
AHMEDABAD TEMPLE : જમાલપુરની કાચની મસ્જિદ નજીક હિન્દુ શ્રદ્ધાળુઓની સંખ્યા ઘટી જતા, આ જમીન મંદિરના મહંત દ્વારા વર્ષ 1999માં રૂ. 48,000 માં વેચાણ કરી દીધી. લતીફના ખૂબ નજીક અને અંગત માણસ ગણાતા બાબુ શાહ નામના વ્યક્તિના નામે આ દસ્તાવેજ કરવામાં આવ્યો. સમય જતા મંદિરનું અસ્તિત્વ પણ ભૂસાઈ ગયું, કારણ કે મંદિરમાં ભગવાન ત્રિકમજી હનુમાનજી સહિત અન્ય દેવી-દેવતાઓની કુલ છ જેટલી મૂર્તિ હતી તે પણ ક્યાં ગઈ અને કોણ લઈ ગયું તે પણ તપાસનો વિષય છે. જ્યારે ત્રિકમજી ભગવાનનું મંદિર હયાત હતું, ત્યારે ત્યાં વિષ્ણુ ભગવાન હનુમાનજી રણછોડરાયજી ગણપતિ અને એક શિવલિંગ હતું. પરંતુ સમય જતા તેનું અસ્તિત્વ ખતમ થયું. જમીન મંદિરના મહંત પાસે ખરીદી લીધા બાદ બાબુ શાહ અને તેના મળતીયાઓ દ્વારા દુકાનો બનાવીને ભાડે આપવામાં આવતી હતી.
વર્ષ 2007માં ચેરીટી કમિશનરના ધ્યાને આખી બાબત આવી. કારણકે મંદિરની જગ્યા ચેરીટી કમિશનરમાં રજીસ્ટ્રેશન હતું પરંતુ કચેરીની મંજૂરી વિના જ વર્ષ 1999 માં કારોબાર વેચાણ થઈ ગયા હોવાના કારણે કચેરી દ્વારા સીટી સિવિલ કોર્ટમાં દાવો કરવામાં આવ્યો અને વર્ષ 2008માં ચેરિટી કમિશનરની કચેરીની તરફેણમાં ચુકાદો આવ્યો. જે બાદ વર્ષ 2010માં લતીફના દીકરા મુસ્તાકની ફર્મ વતી બાબુ શાહ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં નીચલી અદાલતના હુકમને પડકારવામાં આવ્યો, જે સંદર્ભે વર્ષ 2011માં ગુજરાત હાઇકોર્ટ દ્વારા સ્ટેટસ કો મતલબ કે વિવાદિત જગ્યા ને જે છે તેમને તેમ રાખવા માટે હુકમ કર્યો.

AHMEDABAD TEMPLE : સમય જતા મર્હુમ ડૉન અબ્દુલ લતીફના દીકરા મુસ્તાકને ભાન થયું કે હવે આ જમીનમાં કઈ ઉપજવાનું નથી. જેથી વર્ષ 2016માં જમીન મોહમ્મદ અસગર પઠાણના નામે કરાવી લીધી હતી. અસગરના નામથી નિઝામુદ્દીન શેખના નામે દસ્તાવેજ કરાવવી લીધો. જે બાદ વર્ષ 2023 માં કલેકટર કચેરીમાં ખોટા દસ્તાવેજના આધારે બનાવટી દરખાસ્ત રજૂ કરવામાં આવી જેમાં દાવો કરવામાં આવ્યો કે ત્રિકમજી મંદિરની વિવાદિત જગ્યા પ્રાઇવેટ જગ્યા છે. તેનો કોઈ વિવાદ નથી કચેરીને લઈને કોઈ પણ દાવા કે વાંધા અરજી નથી. જેથી વર્ષ 2023 માં અમદાવાદ જિલ્લા કલેકટર કચેરીમાં તત્કાલીન ડેપ્યુટી કલેક્ટર વી એમ ઠક્કર દ્વારા જમીન વેચાણ માટે પરવાનગી આપવામાં આવી. આ પરવાનગીના આધારે મુસ્તાકના સાગરીત નિઝામુદ્દીન શેખ દ્વારા મોહમ્મદ બિલાલ શેખ, ઝિશાન કાદરી, રોહન કાદરી, સદ્દામ હુસેન કુરેશી ને રૂપિયા બે કરોડ 36 લાખમાં વેચાણ કરી દીધી હતી. આમ વિભાજીત જગ્યા મામલે ખોટા દસ્તાવેજ અને ખોટી દરખાસ્તના આધારે જમીન પચાવી પાડવા મામલે ફરિયાદ નોંધાઈ છે.
ચિરાગ ગોસાઈ ( પીઆઇ, ગાયકવાડ પોલીસ સ્ટેશન)

AHMEDABAD TEMPLE : ગાયકવાડ પોલીસ સ્ટેશન પીઆઈ ચિરાગ ગોસાઈએ જણાવ્યું હતું કે, આ ગુનામાં કુલ સાત આરોપીઓ છે. આ એક વ્હાઈટ કોલર ક્રાઈમ કરી શકાય તેવા પ્રકારનો ગુનો છે. ધાર્મિક સ્થળ ઉપર જે જમીન છે તે ચેરીટી કમિશ્નરમાં નોંધાયેલ છે. તે વેચાણે મેળવી લેવામાં આવે છે. જમીન વેચાણની મંજૂરી બાબતે ખોટી રજૂઆતો કરી મંજૂરી મેળવી લે છે. એ મંજૂરી આધારે 2023 માં એક દસ્તાવેજ થાય છે. જે દસ્તાવેજની અંદર પોતાના આર્થિક ફાયદા સારૂ ત્રિકમજી મંદિરની જમીન પચાવી પાડી હતી. આ પ્રકારનું ગુનાહિતી કૃત્ય કરનાર કુલ ચાર ઈસમો છે. જેઓએ બીજા નંબરનો દસ્તાવેજ કર્યો હતો. એમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. અને બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
AHMEDABAD TEMPLE : મંદિરની જમીન પચાવી પાડનારા આરોપી
1. બાબુભાઈ ડાહ્યાલાલ શાહ
2. મોહમંદ અસગર પઠાણ
3. નિઝામુદ્દીન શેખ રહે. ચંપામીલની ચાલી, જમાલપુર
4. મોહંમદ બિલાલ શેખ રહે. ચંપામીલની ચાલી,જમાલપુર
5. ઝીશાન કાદરી રહે.પાકિઝા સોસાયટી, શાહઆલમ
6. રોહન કાદરી રહે. નિલમબાગ બંગ્લોઝ, શાહઆલમ
7. સદામહુસૈન કુરેશી રહે. અલહુદા સોસાયટી, શાહઆલમ
વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
આ પણ વાંચો : ‘કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ 2025’, માર્ગ અકસ્માતમાં ઘાયલોનો ખર્ચ સરકાર ઉઠાવશે