
MANDVI : માંડવીમાં અચલગચ્છ જૈન સંઘના ઉપક્રમે બાલ સંસ્કાર શિબિર યોજાઈ
MANDVI : માંડવી અચલગચ્છ જૈન સંઘના ઉપક્રમે, માંડવીના પાંચેગચ્છના બાળકો માટે, અચલગચ્છ જૈન સંઘના ઉપાશ્રયમાં પૂ. આગમ કિરણાશ્રીજી મ.સા., પૂ. દિપ્તકિરણાશ્રીજી મ.સા. અને પૂ. સહસ્ત્ર કિરણાશ્રીજી મ. સા. આદિઠાણા ૩ની પાવન નિશ્રામાં યોજાયેલી બાલસંસ્કાર શિબિરમાં માંડવીના પાંચેગચ્છના બાળકો બહોળી સંખ્યામાં જોડાયા હોવાનું અચલગચ્છ જૈન સંઘના પ્રમુખ મયુરભાઈ શાહ અને સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.