
ભારતે પાકિસ્તાનથી તમામ પ્રકારની આયાત પર પ્રતિબંધ
ભારતે પાકિસ્તાનથી થતી ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ આયાત પર પ્રતિબંધ મૂક્યો
ભારતે પાકિસ્તાનથી આવતા તમામ માલની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. હવે પાકિસ્તાનથી સીધી કે અન્ય કોઈ માર્ગે કંઈપણ વસ્તુ ભારત લાવી શકાશે નહીં. આ નિર્ણય દેશ અને જનતાની સુરક્ષાના હિતમાં લેવામાં આવ્યો છે. આ નિયમ તાત્કાલિક અમલમાં આવ્યો છે. સરકારે એક જાહેરનામું બહાર પાડ્યું છે. એવું કહેવામાં આવ્યું હતું કે જો કોઈને આ પ્રતિબંધમાંથી મુક્તિ જોઈતી હોય, તો તેણે પહેલા ભારત સરકારની પરવાનગી લેવી પડશે.