
અમરેલીની શેત્રુંજી નદીમાં 4 બાળકોના ડૂબી જતાં મોત
ગુજરાતના અમરેલી તાલુકાના ગાવડકા નજીક શેત્રુંજી નદીમાં 4 બાળકો નાહવા પડ્યા હતા. જેમાં નદીના ઊંડા પાણી બાળકો ડૂબ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને અમરેલી તાલુકા પોલીસ અને ફાયર ટીમ જવાનો ઘટનાસ્થળે દોડી પહોંચી હતી. નદીમાં ડૂબ જવાની ઘટનામાં 4 બાળકોના મૃતદેહ બહાર કઢાયા હતા. ઘટનાને પગલે સંમગ્ર પથંકમાં શોક છવાયો છે.
અમરેલી તાલુકાના ગાવડકા નજીક આવેલી શેત્રુંજી નદીમાં 4 બાળકો નાહવા જતાં ડૂબ્યા હતા. નદી કાંઠેથી કપડાં મળી આવ્યા બાળકો સ્થાનિક વિસ્તારના હોવાનું અનુમાન છે, ત્યારે ફાયરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને ફાયરની ટીમ દ્વારા બાળકોને બહાર કાઢવા ઓપરેશન હાથ ધર્યું હતું. નદીમાં ડૂબી જવાથી ચારેય બાળકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.
મૃતકોની યાદી
– ભાર્ગવ રમેશભાઈ રાઠોડ (ઉં.વ. 20, મુ.મીઠાપુર ડુંગરી, તા. ધારી)
– નરેન્દ્ર પ્રેમજીભાઈ વાળા (ઉં.વ. 18)
– કૌશિક મુળજીભાઈ રાઠોડ (ઉં.વ. 21)
– કમલેશ ઉર્ફે સાગર ખોડાભાઈ દાફડા (ઉં.વ. 27)