
અમદાવાદ માણેકચોક ખાણીપીણી બજાર આજથી એક મહિનો બંધ રહેશે
આજથી એક મહિનો બંધ રહેશે અમદાવાદ માણેકચોક ખાણીપીણી બજાર
અમદાવાદ ખાણીપીણીના શોખીનો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. આવતીકાલથી એક મહિનો અમદાવાદ માણેકચોક ખાણીપીણી બજાર બંધ રહેશે. ડ્રેનેજ રીહેબની કામગીરી માટે બજાર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. માણેકચોકનું રાત્રી ખાણીપીણી બજાર અમદાવાદની ઓળખ બન્યું છે. AMCની ડ્રેનેજની કામગીરી બાદ બજાર ફરીથી ધમધમશે.