માણાવદર લોહાણા મહાજન દ્વારા આપેલા નિવેદનમાં જણાવાયું છે કે ડોક્ટર અતુલભાઇ ચગ એક સેવાભાવી તબીબ અને લોકોમાં સારી ચાહના ધરાવતા હતા સુસાઈડ નોટમાં તેઓએ રાજેશ ચુડાસમા અને નારણ ચુડાસમા નામ આપ્યા હોવાથી આ શખ્સોના માનસિક દબાણથી તેઓએ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું સ્પષ્ટ જોવા મળે છે ત્યારે છેલ્લા છ માસમાં સ્વ. અતુલભાઇના ફોનમાં સુસાઇડ નોટમાં દર્શાવેલ વ્યક્તિઓના આવેલા ફોન કે તેને કરેલા ફોનને આધારે વિગતો મેળવી અને કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી છે જૂનાગઢમાં બુધવારે લોહાણા સમાજ અને રઘુવંશી સંસ્થાઓના હોદ્દેદારો અને પ્રતિનિધિઓએ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું આ આવેદનપત્ર આપવામાં મૃતક તબીબ ડોક્ટર અતુલભાઇ ચગના પરિવારજનો વિપુલ પ્રવીણચંદ્ર ચગ ભાવિશાબેન ભવ્યભાઈ માધવ વિપુલભાઈ ચગ અને હરેશ ચંદ્રકાંતભાઈ ગઢીયા સહિતના જોડાયા હતા લોહાણા મહાજનના પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂની આગેવાનીમાં અપાયેલા આવેદનપત્રમાં મૃતક ડો. અતુલભાઇ ચગના આપઘાતની પાછળ સંડોવાયેલાઓની ઉચ્ચ કક્ષાએ તપાસ કરી તાત્કાલિક અસરથી ધરપકડ કરવામાં આવે અને ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે ઉદાહરણ સ્વરૂપ કડકમાં કડક સજા આપવામાં આવે તેવી માંગ કરાઈ હતી