
રામ જન્મભુમિ નિર્માણ સમર્પણ નિધી માટે મહેસાણા ખાતે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં રામજી મંદિર પરાથી શરુ થયેલી રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. આ રેલીમાં આરએસએસ અને તેની ભગીની સંસ્થાઓના કાર્યકરો જોડાયા હતા. રામમંદિરના નિર્માણમાં દાન આપવા માટે આ રેલી દ્વારા અપીલ કરવામાં આવી હતી. ત્યારે અયોધ્યામાં મંદિરના નિર્માણને લઇને રામ ભકતોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.