
ધોરાજી પાસે અકસ્માતમાં 4નાં મોત, 2 ઇજાગ્રસ્ત:ઇનોવા કાર પલટી ગઈ; મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડાયા
રાજકોટ જિલ્લાના ધોરાજીથી સુપેડી ગામ જવાના રસ્તે ઈનોવા કાર કોઇ કારણસર પલટી જતાં અકસ્માત સર્જાયો. ઘટનામાં કારમાં સવાર 6માંથી 4નાં મોત નીપજ્યાં છે, જ્યારે બે 2 ઇજાગ્રસ્ત થયા છે. ડ્રાઈવર અને અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતાં સારવાર હેઠળ ખસેડાયા છે, જ્યારે ચાર વ્યક્તિનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજતાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મૃતકોનાં નામ
વલ્લભભાઈ રૂઘાણી
કિશોરભાઈ હીરાણી
આસિફભાઈ સુમરા
આફતાબ ભાઈ પઠાણ
ઈજાગ્રસ્તનાં નામ
રશ્મિન ગાંધી
ગૌરાંગ રૂઘાણી