14 TERRORISTS OF JAMMU KASHMIR : પહલગામ હુમલા બાદ સુરક્ષા એજન્સીઓના રડાર પર જમ્મુ-કાશ્મીરના ૧૪ સ્થાનિક આતંકવાદીઓ

14 TERRORISTS OF JAMMU KASHMIR : પહલગામ હુમલા બાદ સુરક્ષા એજન્સીઓના રડાર પર જમ્મુ-કાશ્મીરના ૧૪ સ્થાનિક આતંકવાદીઓ

14 TERRORISTS OF JAMMU KASHMIR
14 TERRORISTS OF JAMMU KASHMIR

14 TERRORISTS OF JAMMU KASHMIR : જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં ૨૨ એપ્રિલ, ૨૦૨૫ના રોજ થયેલા ભયાનક આતંકવાદી હુમલા, જેમાં ૨૮ લોકો માર્યા ગયા (પ્રાપ્ત માહિતી મુજબ) હતા, તે પછી સુરક્ષા દળો અને ગુપ્તચર એજન્સીઓ સંપૂર્ણપણે સક્રિય થઈ ગઈ છે. આ ઘટના બાદ સરકાર સતત કડક પગલાં લઈ રહી છે અને તપાસ એજન્સીઓએ જમ્મુ-કાશ્મીરમાં સક્રિય એવા સ્થાનિક આતંકવાદીઓની એક યાદી તૈયાર કરી છે, જેઓ પાકિસ્તાની આતંકવાદીઓને મદદ કરી રહ્યા છે.

14 TERRORISTS OF JAMMU KASHMIR : આ સ્થાનિક આતંકવાદીઓ પાકિસ્તાની આતંકવાદીઓને આશ્રય આપે છે, તેમને સંસાધનો પૂરા પાડે છે અને તેમની ગતિવિધિઓમાં મદદગાર સાબિત થાય છે. પહલગામ હુમલા બાદ સુરક્ષાદળોએ આતંકવાદીઓ સામે મોટી કાર્યવાહી શરૂ કરી છે. આ કાર્યવાહીના ભાગરૂપે, આતંકવાદીઓના ઘરોને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. શનિવારે પુલવામા અને કુલગામમાં આતંકીઓના ઘરોને IED બ્લાસ્ટ દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા.

14 TERRORISTS OF JAMMU KASHMIR
14 TERRORISTS OF JAMMU KASHMIR

14 TERRORISTS OF JAMMU KASHMIR : સુરક્ષા એજન્સીઓના રડાર પર હાલ ૧૪ સ્થાનિક આતંકવાદીઓ છે, જેમની યાદી તૈયાર કરવામાં આવી છે. આ આતંકવાદીઓના નામ અને તેમની વિગતો નીચે મુજબ છે:

સુરક્ષા એજન્સીઓના નિશાના પર રહેલા ૧૪ સ્થાનિક આતંકવાદીઓ:

૧. આદિલ રહેમાન ડેન્ટુ: લશ્કર-એ-તૈયબા (LeT) નો સોપોર કમાન્ડર છે. તે વર્ષ ૨૦૨૧ થી આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ છે અને સોપોરનો જિલ્લા કમાન્ડર પણ છે. તપાસ એજન્સીઓ તેની તપાસ કરી રહી છે. પહલગામ હુમલા બાદ હવે તેને કાં તો મારી નાખવામાં આવશે અથવા તેના ઘરને જમીનદોસ્ત કરી દેવામાં આવશે.

૨. આસિફ અહમદ શેખ: જૈશ-એ-મોહમ્મદ (JeM) નો આતંકવાદી છે અને અવંતીપુરાનો જિલ્લા કમાન્ડર પણ છે. તે વર્ષ ૨૦૨૨ થી સતત આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ છે.

૩. એહસાન અહેમદ શેખ: પુલવામામાં સક્રિય છે અને લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી છે. તે વર્ષ ૨૦૨૩થી સતત આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ છે. સુરક્ષા એજન્સીઓ તેને શોધી રહી છે.

૪. હરીશ નઝીર: પુલવામાનો આતંકવાદી છે અને લશ્કર-એ-તૈયબામાં સક્રિય આતંકવાદી છે. તે સુરક્ષા દળોના રડાર પર છે.

૫. આમિર નઝીર વાની: પુલવામામાં સક્રિય આતંકવાદી છે અને જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલો છે.

૬. યાવર અહેમદ ભટ્ટ: JeM આતંકવાદી છે અને પુલવામામાં સંપૂર્ણ રીતે સક્રિય છે.

૭. આસિફ અહમદ કાંડે: શોપિયાંનો એક આતંકવાદી છે અને જુલાઈ ૨૦૧૫માં આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનમાં જોડાયો હતો. હાલમાં તે સક્રિય આતંકવાદી તરીકે કામ કરી રહ્યો છે અને પાકિસ્તાની આતંકવાદીઓને મદદ કરી રહ્યો છે.

૮. નસીર અહેમદ વાની: શોપિયાંમાં સતત આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ છે. તે લશ્કર-એ-તૈયબાનો સક્રિય સભ્ય છે અને પાકિસ્તાની આતંકવાદીઓને મદદ કરે છે.

૯. શાહિદ અહેમદ કુટે: શોપિયાંમાં પણ સક્રિય છે અને તે લશ્કર અને TRF (ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ) નો મોટો આતંકવાદી છે. તે આ ક્ષેત્રમાં વર્ષ ૨૦૨૩ થી સક્રિય છે.

૧૦. આમિર અહમદ ડાર: સ્થાનિક આતંકવાદી છે. તે વર્ષ ૨૦૨૩ થી શોપિયાંમાં સક્રિય છે. તે લશ્કર-એ-તૈયબા અને TRF સાથે મળીને કામ કરી રહ્યો છે.

૧૧. અદનાન સફી ડાર: શોપિયાં જિલ્લાનો સક્રિય આતંકવાદી છે. તે વર્ષ ૨૦૨૪માં આતંકવાદી સંગઠનમાં જોડાયો હતો. હાલમાં તે લશ્કર-એ-તૈયબા અને TRF સાથે સક્રિય રીતે કામ કરી રહ્યો છે.

૧૨. ઝુબેર અહેમદ વાની: અનંતનાગમાં હિઝબુલ મુજાહિદ્દીનનો ઓપરેશનલ કમાન્ડર છે. તે સક્રિય A+ કેટેગરીનો આતંકવાદી છે. તે આતંકવાદીઓના મદદગાર તરીકે મોટાપાયે કામ કરે છે. આ આતંકવાદી ૨૦૧૮થી સક્રિય છે.

૧૩. હારૂન રાશિદ ગની: અનંતનાગથી હિઝબુલ મુજાહિદ્દીનનો સક્રિય આતંકવાદી છે. થોડા વર્ષો પહેલા તે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) પણ ગયો હતો, જ્યાંથી તેણે ટ્રેનિંગ લીધી હતી. હાલમાં સુરક્ષા દળો તેને શોધી રહ્યા છે.

૧૪. ઝુબેર અહેમદ ગની: કુલગામનો મોટો આતંકવાદી છે. લશ્કર-એ-તૈયબામાં જોડાઈને તે સતત સુરક્ષા દળો પર હુમલા અને ટાર્ગેટેડ કિલિંગમાં સામેલ છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *