ગુજરાત 7 દિવસ માટે હવામન ખાતાએ ભારે વરસાદની આગાહી

ગુજરાત 7 દિવસ માટે હવામન ખાતાએ ભારે વરસાદની આગાહી
ગુજરાત 7 દિવસ માટે હવામન ખાતાએ ભારે વરસાદની આગાહી

ગુજરાત 7 દિવસ માટે હવામન ખાતાએ ભારે વરસાદની આગાહી

ગુજરાત માં 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે, તો ફરીથી સુરત સહિતના જિલ્લાઓમાં ‘રેડ એલર્ટ’ જાહેર

ગુજરાતમાં મેઘરાજાએ મન મૂકીને વરસતા ગુજરાતના ઘણા વિસ્તારોને જળબંબાકાર કરી દીધા છે. ખાસ કરીને સુરત જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો છે. તેવામાં આગામી 7 દિવસ માટે હવામન ખાતાએ ભારે વરસાદની આગાહી કરી છે.

છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ દક્ષિણ ગુજરાતને ઘમરોળી નાખ્યું છે. સુરતમાં છેલ્લા 24 કલાકમાં 14 ઈંચ વરસાદ ખાબક્યો હતો. એના કારણે સુરતના રસ્તાઓ પર ઠેર ઠેર પાણી ભરાઈ ગયાં છે અને ટૂ-વ્હીલર-કાર સહિતનાં વાહનો પાણીમાં ડૂબી ગયાં છે, તો બીજી તરફ વાપી, બારડોલી, વ્યારામાં પણ 3થી 4 ઈંચ વરસાદે જળબંબારકારની સ્થિતિ સર્જાઈ છે.

હવામાં વિભાગની આગાહી

હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસે આગામી 7 દિવસ માટે આગાહી કરતાં જણાવ્યું છે કે અમદાવાદમાં રથયાત્રાના દિવસે હળવાથી મધ્યમ વરસાદ રહેશે. આ ઉપરાંત ગુજરાતના અન્ય રાજ્યો જેવા કે વડોદરા, ભરૂચ, સુરત, નવસારીમાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે. તો વલસાડ, દમણ, દાહોદ, મહીસાગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, છોટાઉદેપુર અને ડાંગમાં ઓપરેન્જ એલર્ટ અપાયું છે.

અમદાવાદમાં એલર્ટ

વાત કરીએ આજની તો હવામાન ખાતાના જણાવ્યા અનુસાર બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ, કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. તો બીજી તરફ અમરેલી ભાવનગરમાં, સુરેન્દ્નગર, રાજકોટ, જૂનાગઢ, દિવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે અમદાવાદમાં ઠંડા પવનો ફૂંકાય તેવી શકયતા રહેલી છે.

સુરતમાં મેઘમહેર

સુરત જિલ્લામાં સતત બીજે દિવસે પણ મેઘમહેર યથાવત છે. જિલ્લાના બારડોલીમાં આજે પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે બારડોલી નગરના આશાપુરી મંદિર નજીક પાણી ભરાયા હતા. વહેલી સવારથી વરસી રહેલા ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. દીપનગર વિસ્તારમા ઘરો તેમજ દુકાનમાં વરસાદી પાણી ભરાયા હતા. પાણી ભરાવવાને પગલે સ્થાનિકોની હાલત કફોડી થઇ હતી. સમારીયા મોરાથી શાસ્ત્રી રોડ પર પાણી ભરાતા રસ્તો બંધ થઈ જવા પામ્યો હતો. બારડોલીમાં ગઇકાલ રાત સુધીમાં સાડા પાંચ ઇંચ વરસાદ પડ્યો હતો.. જે બાદ આજે માત્ર 2 કલાકમાં પોણા ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે. આમ બે દિવસમાં બારડોલીમાં 9 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. તો સુરતના મહુવા તાલુકામાં બે કલાકમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો છે.

હાલમાં જળાશયોની સ્થિતિને લઇને નોંધપાત્ર બાબત

કુલ 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 45.01 ટકા જળ સંગ્રહ

સૌરાષ્ટ્રના 141 જળાશોયોમાં હાલ 48.15 ટકા પાણી

મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં હાલ 43.80 ટકા પાણી

દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં હાલ 42.3 ટકા પાણી

ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં હાલ 33.10 ટકા પાણી

કચ્છના 20 જળાશયોમાં હાલ 28.72 ટકા પાણી

સરદાર સરોવર સહિત રાજ્યના 25 જળાશયો 50 થી 70 ટકા વચ્ચે, 61 જળાશયો 25 થી 50 ટકા વચ્ચે, જ્યારે 82 જળાશયો 25 ટકાથી ઓછા ભરાયા છે. હાલની સ્થિતિએ સરદાર સરોવરમાં 18 હજાર ક્યુસેકથી વધુ, દમણગંગામાં 16 હજાર ક્યુસેકથી વધુ, વંથલીના ઓઝત-વિઅરમાં 13 હજાર ક્યુસેકથી વધુ તેમજ ઓઝત-વિઅરમાં 13 હજારથી વધુ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.

અંબાલાલે શું કહયું?

અંબાલાલની આગાહી પ્રમાણે રાજ્યમાં 25 જૂનથી એટલે કે આવતીકાલથી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.ઉત્તર, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના અંબાલાલે દર્શાવી છે. 26 જૂનથી બંગાળના ઉપસાગરમાં ફરી સિસ્ટમ બનશે તેવું અંબાલાલે જણાવ્યું.. અને 1, 2 તેમજ 3 જૂલાઇએ ભારે વરસાદની આગાહી કરી છે

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *