
વસંત પંચમી પર સાળંગપુરમાં કષ્ટભંજન દાદાને વિશેષ શણગાર કરાયો
આજે વસંત પંચમીની સાથે શિક્ષાપત્રી જંયતિ છે. ત્યારે સાળંગપુરમાં કષ્ટભંજન દાદાને વિશેષ શણગાર કરાયો છે. આજે મા સરસ્વતીની આરાધનાના અવસર નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને પ્યોર સિલ્કના કાપડમાં જરદોશી વર્કવાળા વાઘા પહેરાવાયા છે. આ વાઘા મથુરામાં 15થી 20 દિવસની મહેનતે 10-15 કારીગરોએ બનાવ્યા છે. બેંગ્લોર, મદ્રાસ અને કલકત્તાથી મંગાવેલા ઓર્કિડના ફુલનો શણગાર કરાયો છે.