સોમનાથ: નવનિર્મિત વૉક-વેની દીવાલો પર વેદ-પુરાણોના આધારે કંડારાયા ચિત્રો

સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રધ્ધાળુઓ માટે દોઢ કીલોમીટર લાંબો સમુદ્ર પથ બનાવવામા આવ્યો છે. સોમનાથ મહાદેવ સમુદ્ર તટ પર 45 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા વૉક-વેના પ્રવેશ ગેટની દિવાલો પર વિવિધ પેઈન્ટીંગો બનાવવામા આવી છે. જેમાં ગુજરાત કલા પ્રતિષ્ઠાન-સુરતના 5૦ જેટલા કલાકારો દ્વારા શીવપુરાણ, રામાયણ તેમજ ઉપનિષદોને આધારે આ ચિત્રો કંડારવામા આવી રહ્યા છે. કુલ 66 બ્લોક પર આ સુશોભિત ચિત્રકામ કરવામા આવી રહ્યુ છે. હવેથી સોમનાથ દર્શને આવતા ભાવિકો ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા આ ચિત્રોને નિહાળવાનો લાભ મળશે. આવનારી મહાશિવરાત્રીના પ્રસંગે  સોમનાથ યાત્રાએ આવતા ભાવિકોને દેવ દરબારનો અદભૂત નજારો જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *