સચિન તેંડુલકરને હોસ્પિટલમાંથી કરાયા ડિસ્ચાર્જ, 27 માર્ચે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો

સચિન તેંડુલકરને ગુરુવારે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હતા, મહત્વનું છે કે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને દાખલ કરવામાં આવ્યા હતા.

ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાનારા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તે 27 માર્ચે કોવિડ -19 પોઝિટિવ થયા હતા. આ પછી, તેમને 2 એપ્રિલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી, તે થોડા દિવસો માટે ઘરમાં જ આઇસોલેટ રહેશે. સચિન તાજેતરમાં રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝમાં ઈન્ડિયા લિજેન્ડ્સની કપ્તાન કરતા જોવા મળ્યો હતો. આ ટૂર્નામેન્ટમાં ભારત લેજન્ડ્સ તરફથી રમનારા સચિન સહિત ચાર ખેલાડીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી સચિને ટ્વિટ કર્યું હતું કે હું હમણાં જ હોસ્પિટલથી ઘરે પાછો ફર્યો છું અને થોડા દિવસો માટે ઘરે કવોરંટાઈન રહીશ. આરામ કરીશ. હું શુભેચ્છાઓ માટે આપ સૌનો આભાર માનું છું. હું તમામ તબીબી કર્મચારીઓનો ઋણી છું અને તેઓ એક વર્ષથી વધુ સમયથી એકસરખી મહેનતની સાથે મુશ્કેલ પરિસ્થિતિમાં કામ કરી રહ્યા છે.

કોવિડ -19 ટેસ્ટમાં સચિન ઉપરાંત એસ બદ્રીનાથ, યુસુફ પઠાણ અને ઇરફાન પઠાણ પણ પોઝિટિવ આવ્યા હતા. રાયપુરમાં રમાયેલી આ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમે સચિનની કપ્તાની હેઠળ જીત મેળવી હતી. સચિને તેની હોસ્પિટલમાં દાખલ થવાની માહિતી અંગે પણ ટ્વિટ કરી હતી. સચિને ટ્વિટ કરીને લખ્યું કે તમારી ઇચ્છાઓ અને પ્રાર્થના બદલ આભાર. તબીબી સલાહ હેઠળ સાવચેતી તરીકે મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હું આશા રાખું છું કે થોડા દિવસોમાં ઘરે પરત ફરીશ. તમારી સંભાળ રાખો અને સલામત રહો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *