
વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે પશ્ચિમ બંગાળમાં બ્રિગેડ ગ્રાઉન્ડ ખાતે મેગા રેલીને સંબોધન કર્યું હતું. પોતાના 68 મિનિટના ભાષણમાં તેમણે મમતા સરકાર, ડાબેરી પક્ષો અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું.
કોલકાતાના બ્રિગેડ ગ્રાઉન્ડ ખાતે મેગા રેલીને સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “માતા-માટી-માણસ સાથે વિશ્વાસઘાત પછી, આ લોકોએ એક નવો નારો લગાવ્યો છે. દીદી તમે માત્ર બંગાળની જ નહીં પરંતુ આખા ભારતની પુત્રી છો. થોડા દિવસો પહેલા, જ્યારે તમે સ્કૂટી સંભાળી, ત્યારે દરેક જણ પ્રાર્થના કરતા હતા કે તમે સુરક્ષિત રહો, તમને ઈજા ન થાય. સારું થયું કે તમે પડ્યા નહીં, અન્યથા જે રાજયમાં તે સ્કૂટી બનાવવામાં આવી છે, તે રાજ્યને પોતાનો દુશ્મન બનાવી દેત. જો સ્કૂટી દક્ષિણમાં બનેલી હોત, તો તેણે તેને શત્રુ બનાવ્યો હોત, જો તે ઉત્તરમાં હોત, તો તેણે તેને દુશ્મન બનાવ્યો હોત.તમારી સ્કૂટી ભવાનીપુર ગયા પછી નંદીગ્રામ તરફ વળી ગઈ. અમે દરેકનું સારું જ ઈચ્છીએ છીએ, એવું નથી ઈચ્છતા કે કોઈને ઇજા થાય. જ્યારે સ્કૂટીએ નંદીગ્રામમાં પડવાનું નક્કી જ કર્યું તો અમે શું કરીએ.”
મોદીએ સંબોધન કરતાં કહ્યું, ‘પાછલા દાયકાઓમાં બ્રિગેડ ગ્રાઉન્ડમાં અનેક વખત નારા ગુંજા છે કે બ્રિગેડ ચાલો. આ ભૂમિએ ઘણા દેશભક્તોને જોયા છે. આ ગ્રાઉન્ડ બંગાળના વિકાસમાં રોડાં નાખનારાઓનું સાક્ષી પણ રહ્યું છે. બંગાળની ધરતીને ચોવીસ કલાક હડતાલ અને બંધમાં રાખનારાઓની નીતિઓ કાવતરાં પણ આ ગ્રાઉન્ડે જોયા છે.
મોદીના 68 મિનિટના ભાષણની મહત્વપૂર્ણ વાતો
વાતાવરણથી લાગી રહ્યું છે કે આજે 2 મે છે : મોદી
તેમણે કહ્યું, “આજે આપણી વચ્ચે મિથુન ચક્રવર્તી છે. તેમનું જીવન સંઘર્ષો અને સફળતાના ઉદાહરણોથી ભરેલું છે. તેમની સફળતાનું પુણ્ય તેઓ લોકનાથ બાબાના આશીર્વાદથી સામાન્ય લોકો સુધી પહોંચાડી રહ્યા છે. આજે, બ્રિગેડ ગ્રાઉન્ડ પર તમારા લોકોની આ હુંકાર સાંભળ્યા પછી, કોઈને પણ શંકા થશે નહીં. કદાચ કેટલાક લોકોને લાગે છે કે આજે 2 મે આવી ગઈ છે. મારી સાથે સંપૂર્ણ તાકાત સાથે બોલો. ભારત માતાની જય.
બંગાળના લોકોએ પરીવર્તનની આશાને ક્યારેય છોડી નહીં: મોદી
મોદીએ કહ્યું કે, “આ લોકોએ બંગાળની મહાન ભૂમિની જે હાલત કરી, તે પેઢી દર પેઢી બંગાળના લોકોએ સહન કર્યું છે. આ બંગાળના લોકોની મહાનતા છે, ઈચ્છાશક્તિ છે કે તેમણે બંગાળમાં પરિવર્તનની આશા ક્યારેય છોડી નથી. પરિવર્તન માટે મમતા દીદી પર વિશ્વાસ કર્યો, પરંતુ દીદીએ તમારો વિશ્વાસ તોડ્યો, તમારા સપનાના ટુકડે-ટુકડા કર્યા.”
બંગાળ સોનાર બાંગ્લા ઇચ્છે : મોદી
મોદીએ કહ્યું, “આ લોકોએ બંગાળનો વિશ્વાસ તોડ્યો, બંગાળની ધરતી અને તેમની બહેનો અને પુત્રીઓનું અપમાન કર્યું. તેઓ બંગાળની આશાને તોડી શકયા નથી. આ જનસાગરની અને તે ઈરાદાજીવતી-જાગતી તસવીર છે. બંગાળ વિકાસ, શાંતિ, પ્રગતિ અને સોનાર બાંગ્લા ઇચ્છે છે. હું જોઉં છું કે આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં એક તરફ TMC છે, કોંગ્રેસ છે, તેમનો બંગાળ વિરોધી વલણ છે. બીજી બાજુ, સ્વયં બંગાળજી જનતા કમર કસીને ઊભી થઈ ગઈ છે.આજે, ભાજપને આશીર્વાદ આપવા આવે અહીં લાખો લોકો આવે છે, અને લાખો લોકોના સમગ્ર પરદેશમાં આશીર્વાદ બનાવી રાખવો. સામાન્ય માણસ હોય, કલા જગતના લોકો હોય, સૌ કોઈ આશીર્વાદ આપી રહ્યા છે. દરેકના હૃદયમાં એક જ ઈચ્છા છે કે આપણું બંગાળ વિકાસની નવી ઉંચાઈએ પહોંચે.”
બંગાળની ભૂમિએ ભારતનું ગૌરવ વધાર્યું: મોદી
તેમણે કહ્યું, “બંગાળની આ ભૂમિએ આપણી સ્વતંત્રતા ચળવળમાં નવા પ્રાણ ફૂંકયા હતા, ઉર્જા આપી, જ્ઞાન વિજ્ઞાનમાં ભારતનું ગૌરવ વધાર્યું. બંગાળમાંથી નીકળેલા મહાન વ્યક્તિત્વએ એક ભારતની ભાવનાને સશક્ત બનાવી. આ ભૂમિએ એક વિધાન, એક નિશાન, એક પ્રધાન માટે બલિદાન આપનારા સપૂત આપ્યા છે. હું આ ધરતીને અનેક વાર નમન કરું છું. આ મારુ સૌભાગ્ય છે કે આજે આ ઐતિહાસિક બ્રિગેડ ગ્રાઉન્ડ પર મને ફરી એકવાર તમારા આશીર્વાદ પ્રાપ્ત કરવાની તક મળી છે.આ ગ્રાઉન્ડની આસપાસ સ્વામી વિવેકાનંદજી, સુભાષચંદ્ર બોઝ, શ્યામા પ્રસાદ મુખર્જીનું જન્મસ્થળ છે.”
હું બંગાળમાં પરિવર્તનનો વિશ્વાસ આપવા આવ્યો છું: મોદી
તેમણે કહ્યું, “ભારત માતાના આશીર્વાદથી સોનાર બાંગ્લાનો સંકલ્પ ચોક્કસપણે સિદ્ધ થશે. બંગાળના પ્રત્યેક વ્યક્તિ, માતા અને બહેનો-દીકરીઓ, યુવાનો આજે બંગાળના વાસ્તવિક પરિવર્તન માટે અહીં આવ્યા છે. એટલે કે, સાચું પરિવર્તન. હું આ બ્રિગેડ ગ્રાઉન્ડથી તમને સાચા પરિવર્તનનો વિશ્વાસ આપવા માટે આવ્યો છું. બંગાળનો વિકાસ કરવાનો વિશ્વાસ, વિશ્વાસ બંગાળમાં પરિસ્થિતિ બદલવાનો, વિશ્વાસ બંગાળમાં રોકાણ વધારવાનો, વિશ્વાસ બંગાળના ફરી નિર્માણનો, બંગાળની સંસ્કૃતિ અને પરંપરાઓની રક્ષાનો.
કોઈનું પણ તુષ્ટિકરણ થશે નહીં: મોદી
તેમણે કહ્યું, “સાચા પરિવર્તનનો અર્થ યુવાનો માટે શિક્ષણ અને રોજગાર માટેની પૂરતી તકો છે, લોકોને પલાયન કરવા મજબૂર ન થવું પડે, વેપાર અને વ્યવસાય વિકસિત થાય,, વધુમાં અને વધુ રોકાણો થાય, 21મી સદીનું આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોય, ગરીબમાં ગરીબ વર્ગને પણ આગળ વધવાની સંપૂર્ણ તક મળી શકે, દરેક ક્ષેત્રમાં, દરેક વર્ગનું વિકાસમાં સમાન ભાગીદારી હોવી જોઈએ. ઉત્તર બંગાળ, દક્ષિણ બંગાળ બધા પર સમાન ધ્યાન આપવામાં આવશે. સૌનો સાથ- સૌનો વિકાસ- સૌનો વિશ્વાસ શાસનનો મંત્ર હશે.
જે પણ બંગાળથી છીનવવામાં આવ્યું છે તેને પરત અપાવીશું : મોદી
મોદીએ કહ્યું, “આજે અમે તે સંકલ્પ લઈને સામે આવ્યા છીએ. મારા શબ્દો લખી લો કે બંગાળમાંથી જે કાંઈ છીનવી લેવામાં આવ્યું છે તે પરત અપાવીશું. આજે જ્યારે ભારત પોતાની આઝાદીના 75 વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે, તો બંગાળ એક નવી ઉર્જા, એક નવા સંકલ્પ સાથે આગળ વધશે. દેશની જેમ, આગામી 25 વર્ષ પણ બંગાળના વિકાસ માટે મહત્વપૂર્ણ છે. આ 25 વર્ષના પરિવર્તન માટે આ વિધાનસભાની ચૂંટણીઓ પ્રથમ પડાવ છે. આગામી 5 વર્ષમાં બંગાળનો વિકાસ આગામી 25 વર્ષનાં વિકાસનો આધાર બનાવશે.
વિકાસના ડબલ એન્જિનથી તમામ અવરોધો દૂર થશે : મોદી
તેમણે કહ્યું, “કોલકાતા સિટી ઓફ જોય છે. તેનો સમૃદ્ધ ભૂતકાળ અને ભવિષ્યની સંભાવનાઓ પણ છે. તેને ભવિષ્યનું શહેર ન બનાવી શકાય તેવું કોઈ કારણ નથી. દેશના ટોચના શહેરોની યાદી બહાર આવી છે. અને દરેક બંગાળીની ઇચ્છા છે કે આ યાદીમાં કોલકાતા પણ ટોપ પર આવે. અમે નવા ઉદ્યોગો, કનેક્ટિવિટી, ટેક્નોલોજીનું વિસ્તરણ, સ્ટાર્ટઅપ માટે વાતાવરણ બનાવવા માટેની પ્રતિબદ્ધતા સાથે કામ કરીશું. કોલકાતા મેટ્રોનું ઝડપથી વિસ્તરણ થઈ રહ્યું છે. હેરિટેજને શણગારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જ્યારે કોલકાતામાં વિકાસનું ડબલ એન્જિન હશે, ત્યારે રોડાં અને અવરોધોનો અંત આવશે.
શાસનમાં પારદર્શિતા જરૂરી : મોદી
મોદીએ વધુમાં કહ્યું, “પરિવર્તન માટે ગામ અને શહેરોની ગ્રામ પંચાયતો, મહાનગરપાલિકાઓ અને શહેરોના શાસનમાં પારદર્શિતા જરૂરી છે. આ લોકશાહી પદ્ધતિનો જે રીતે વેર-વિખેર કરાયો છે, તે તમે જાણો છો. ભાજપ આ વ્યવસ્થાને મજબુત બનાવશે. સરકારી સિસ્ટમ, પોલીસ પર લોકોનો વિશ્વાસ જાગૃત થાય અમે તે પરિવર્તન લાવીશું. પરીક્ષાથી લઈને તાલીમ અને ભરતીમાં પારદર્શક સિસ્ટમ લવાશે. સ્કિલ ડેવલપમેન્ટ, નવી શિક્ષણ નીતિ પર ભાર મૂકાશે. એન્જિનિયરિંગ અને મેડિકલનો અભ્યાસ બંગાળ ભાષામાં પણ થાય તેના પર ધ્યાન આપવામાં આવશે. ગરીબનો પુત્ર અને પુત્રી તેમના સપનાથી દૂર રહેશે નહીં. ઝૂંપડપટ્ટીમાંથી અભ્યાસ કરીને બહાર આવતું બાળક પણ બંગાળનું નામ રોશન કરે, તેવી સિસ્ટમ બનાવવા માંગીએ છીએ.”
છેલ્લા 10 વર્ષમાં TMCએ અહીં કંઇ કર્યું નથી : મોદી
તેમણે કહ્યું, “મમતા દીદીએ સાથી ડાબેરીઓ સામે પરિવર્તનનો નારો આપ્યો હતો. બંગાળથી માતા-માટી-માનુષ માટે કામ કરવાનું વચન આપ્યું. તમે જણાવો કે છેલ્લાં 10 વર્ષથી અહીં TMCની સરકારે શું સામાન્ય બંગાળી પરિવારના જીવનમાં પરિવર્તન લાવ્યું છે. તેણે તમને જે વચન આપ્યું હતું તે પૂર્ણ કર્યું. શું તે પરિવર્તન ખેડૂતો, મજૂરો, મજૂરોના જીવનમાં આવ્યું છે?
માતા-માટી-માનુષની પરિસ્થિતિ સૌની સામે : મોદી
તેમણે કહ્યું, “તમે બરાબર જાણો છો કે બંગાળમાં આજે માતા-માટી-માનુષની પરિસ્થિતિ શું છે.” માતા પર શેરીમાં હુમલો કરવામાં આવે છે. ઘરમાં ઘૂસીને માતા પર હુમલો થાય છે. તાજેતરમાં એક 80 વર્ષીય માતાની સાથે જે ક્રૂરતા બતાવવામાં આવી છે, તે આ લોકોનો ક્રૂર ચહેરો સમગ્ર ભારતને બતાવ્યો છે. છેલ્લા 10 વર્ષોમાં ભાગ્યેજ બન્યું હશે કે બંગાળની માતા, પુત્રી કોઈને કોઈ પ્રકારના અત્યાચારને કારણે રડ્યા ન હોય. કોઈ પ્રશ્નો ઉભા કરી શકે નહીં, તેથી આ આંકડા પણ છુપાઇને બેઠા છે. માટીની વાત કરનારાઓએ બંગાળનો કણે-કણ કાળા બજારીયા અને સિન્ડિકેટ્સના હવાલે કરી દીધું. બંગાળનો માનુષ તેની નજર સામે પોતાના પ્રિયજનોનું લોહી વહેતું જુએ છે. તે તેની નજર સમક્ષ લૂંટાયેલા પ્રિયજનોને જુએ છે. સારવારનાં અભાવમાં તેમણે મારતા જુએ છે, પલાયન કરતાં જુએ છે.’
બંગાળએ એક સ્વરમાં અવાજ ઉઠાવ્યો: મોદી
મોદીએ કહ્યું, “આખું બંગાળ એક અવાજમાં બોલી રહ્યું છે- હવે અન્યાય સહન કરશે નહીં. ભ્રષ્ટાચાર હવે નહીં, હવે નહીં. તોલાબાજી હવે નહીં- હવે નહીં. કટ મની હવે નહીં- હવે નહીં. સિન્ડિકેટ હવે નહીં- હવે નહીં. બેકારી હવે નહીં- હવે નહીં. હિંસા હવે નહીં- હવે નહીં. આતંક હવે નહીં- હવે નહીં. તુષ્ટિકરણ હવે નહીં- હવે નહીં. અન્યાય હવે નહીં- હવે નહીં. ‘
ફોઇ-ભત્રીજાવાદ સામે સાધ્યું નિશાન
આજે બંગાળના યુવાનો, અહીંના પુત્રો અને પુત્રીઓ તમને એક જ સવાલ પૂછે છે- તેઓએ તમને દીદીની ભૂમિકામાં પસંદ કર્યા હતા, પરંતુ તમે તેણે એકા જ ભત્રીજા સુધી કેમ પોતાને મર્યાદિત કર્યા. તમે એક જ ભત્રીજાની ફોઇ હોવાનું કેમ પસંદ કર્યું. બંગાળની લાખો ભત્રીજી-અને ભત્રીજાઓની આશાઓને પૂરી કરવાને બદલે પોતાના ભત્રીજાની આશાઓને કેમ પૂર્ણ કરવામાં લાગી રહ્યા. તમે પણ ભાઈ ભત્રીજાવાદની કોંગ્રેસની સરકારોને છોડી શક્યા નહીં જેના માટે તમે બળવો કર્યો હતો.
બંગાળની ભૂમિને નમન કરવા આવ્યો છું
આ એક યોગાનુયોગ છે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના એક દિવસ પહેલા હું બંગાળની ભૂમિને નમન કરવા આવ્યો છું. આ ભૂમિ માતંગણી હજારા, રાની રાસમણી, સરદાદેવી ચૌધરાણી, કામિની રોય જેવી પુત્રીઓ ભારતને આપી ચૂકી છે. હું ભાગ્યશાળી છું કે છેલ્લા 6 વર્ષોમાં અમારી પાસે દરેક યોજનાના કેન્દ્રમાં બહેનો અને પુત્રીઓ અને માતાઓ છે. ગરીબોને માલિકના નામે તેમનું પાકું મકાન પણ મળી રહ્યું છે. શૌચાલયો બન્યા, ઇજ્જત ઘર બન્યા, તો બહેનો અને દીકરીઓને સન્માન મળ્યું.
હું ગરીબનો મિત્ર, તેમના માટે જ કામ કરું છું,
બંગાળ સરકાર ગરીબોની ગુનેગાર છે કે નહીં. તેને સજા નાલાવી જોઈએ કે નહીં. રાજ્યની તિજોરીમાં કેટલીયે યોજનાઓને રાખવામાં આવી છે. દીદી નક્કી કરીને જ બેસી ગઈ છે કે ન તો કામ કરશે કે કામ કરવા દેશે નહીં. શું આપણે આવી સરકારને દૂર કરીશું? મિત્રો! ભાજપ માત્ર ઘોષણાઓ નહીં, ઝડપી અમલીકરણમાં વિશ્વાર કરે છે.
ગરીબોનું દુખ -દર્દ જાણવા માટે પુસ્તકો વાંચવાની જરૂર નથી
હું પણ ગરીબીમાં ઉછર્યો હતો અને તેથી હું તેમનું દુખ શું છે તેનો અનુભવ કરું છું. મારે આ માટે કોઈ પુસ્તક વાંચવું નથી પડ્યું, વીડિઓ જોવાની જરૂર નથી પડી, કોઈ ચિત્ર જોવાની જરૂર પડી નથી, કારણ કે મને તેનો અનુભવ છે. હું મિત્રો માટે કામ કરું છું અને ફક્ત તેમના માટે જ કામ કરીશ. હું બંગાળના મારા મિત્રો માટે કામ કરું છું. મેં મિત્રોને 90 લાખ ગેસ કનેક્શન આપ્યા છે, 7 લાખથી વધુ મિત્રોને વીજળી આપવામાં આવી છે, મિત્રો માટે 60 લાખથી વધુ શૌચાલયો અને ઈજ્જતઘરો બનાવવામાં આવ્યા છે, 25 લાખથી વધુ કાચા મકાનો મિત્રોને આપવામાં આવ્યા છે.
કોલકાતાના બ્રિગેડ ગ્રાઉન્ડમાં લગભગ એક કલાક પહેલા મિથુન ચક્રવર્તી ભાજપમાં જોડાયા છે. મિથુનનું કહેવું છે કે 18 વર્ષનો હતો ત્યારથી જ ગરીબો માટે કઈક કરવાનું સપનું જોયું હતું. તે સપનુ મારુ પુરુ થશે.અહીં નોર્થ બંગાળથી આવનારી 3 ટ્રેનોથી સમર્થકો પહોંચ્યા છે. દરેક તરફ જય શ્રી રામનું નામ સંભળાઈ રહ્યું છે.