
હોલિકા દહન તારીખ ૨૮/૦૩/૨૦૨૧ રવિવાર
વસંતોત્સવ તારીખ ૨૯/૦૩/૨૦૨૧ સોમવાર
સર્વે વાચક મિત્રોને જય શ્રી કૃષ્ણ, ભારતનો સૌથી પ્રખ્યાત અને લોકપ્રિય તહેવારોમાંનો એક, હોલિકા દહન તહેવાર અને રંગ ઉત્સવ માનવામાં આવે છે. આ તહેવાર શિયાળાની ઋતુ નો અંત દર્શાવે છે, આ તહેવાર પોતાની સાથે હૂંફ અને આનંદની આભા લાવે છે. એવું કહેવામાં આવે છે કે આ તહેવાર દ્વારા આપણે વસંત ઋતુ ના આગમનની ઉજવણી કરીએ છીએ જે તેની સાથે પ્રકૃતિના રંગ લાવે છે.
આ તહેવારની તારીખ ચંદ્રની હલ-ચલ પર આધારિત છે, અને તેથી, હોળીની તારીખ એક વર્ષથી બીજા વર્ષ સુધી બદલાઈ શકે છે.આ સમયે ખેતરો સંપૂર્ણ ખીલે છે અને લોકો સારા પાકની સંભાવનામાં આનંદ કરે છે.
હાલ આપણે બધા પ્રાકૃતિક ગોબર અને કાષ્ટ દ્વારા હોલિકા પ્રતિક રૂપ હોલિકા દહન કરીએ છીએ એની પૂજા કરી એમાં શ્રીફળ,ધાણી,કપૂર,લવિંગ,ખજુર,પતાશા,દાળિયા,ગુગળ વગેરે અર્પણ કરીએ છીએ.
હોળીમાં ગુગળ,લવિંગ અને કપૂર પધરાવવા થી વાયરસ નો નાશ થાય છે અને હવામાન શુધ્ધ બને છે એવું માનવામાં આવે છે,
હોળી સાથે એવી પણ એક માન્યતા છે કે તેની ૪,૮,૨૮,કે ૧૦૮ પ્રદક્ષિણા ફરવાથી પાપો નો નાશ થાય છે,અને પુણ્ય ની પ્રાપ્તિ થાય છે,પ્રદક્ષિણા સમયે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર નો જાપ કરવો લાભદાયી રહે.
એક માન્યતા એવી પણ છે કે હોળી નો ધુવાણો જે દિશા માં જાય એ ઉપરથી વરસાદ ની આગાહી પણ થય શકે છે,
જેમ કે પૂર્વ દિશા તરફ હોળી નો ધુવાણો જાય તો બાર આની વરસાદ ની સંભાવના,
અગ્નિ ખૂણામાં જાય તો ગરમી અને તડકો વધારે પડે એવી સંભાવના,
દક્ષીણ દિશા માં જાય તો નહીવત વરસાદ પડવા ની સંભાવના ,
નેઋત્ય ખૂણામાં જાય તો રોગ અને જીવાત ની સંભાવના રહે,
પશ્ચિમ દિશા માં જાય તો આઠ આની વરસાદ ની સંભાવના,
વાયવ્ય ખૂણામાં જાય તો પવન સાથે વરસાદ ની સંભાવના,
ઉતર દિશા માં જાય તો અનાજ સારૂ થાય અને દેશ ની આર્થીક સ્થિતિ સારી બને,સાથે વરસાદ પણ સારો થવાની સંભાવના,
ઈશાન ખૂણા માં જાય તો સોળ આની વરસાદ અને રોગ નાશ પામે એવી સંભાવના રહે.
રંગોનો આ તહેવાર રાશી આધારે તમારા માટે શું લાવે છે તે જાણવા અમારા નિષ્ણાંત જ્યોતિષી જીગર એચ. પંડ્યા (ગોલ્ડ મેડાલીસ્ટ) મો.૯૭૧૪૬૫૨૬૦૨ ની સલાહ લો..
હોળી સાથે સંકળાયેલ દંતકથાઓ પૌરાણિક કથાના દૃષ્ટિકોણથી, આ તહેવાર અનિષ્ટ પર શ્રેષ્ઠ,અસુર પર સુર,દાનવ પર દેવતા ની જીતનો સંકેત આપે છે.
હિન્દુ પૌરાણિક કથા અનુસાર, હોળી સાથે સંકળાયેલ સૌથી પ્રખ્યાત પૌરાણિક કથાઓ માં ની એક રાક્ષસી હોલિકા અને તેના ભાઈ રાજા હિરણ્યકશિપુની કથા છે. તે એક શક્તિશાળી રાજા હતો અને ઈચ્છતો હતો કે લોકો તેમની ઉપાસના કરે. જ્યારે તેનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુ નો પરમ ભક્ત હતો અને હિરણ્યકશિપુ ભગવાન વિષ્ણુ ને પોતાના શત્રુ માનતા હતા,પરંતુ પ્રહલાદ ભગવાન વિષ્ણુ નો ભક્ત હોવાથી ભગવાન વિષ્ણુની ઉપાસના કરવા લાગ્યો, ત્યારે હિરણ્યકશિપુએ પ્રહલાદને ઘણા કષ્ટો આપવાની કોસિસ કરી પરંતુ દરેક સમયે ભગવાન વિષ્ણુ પોતાના ભક્ત પ્રહલાદની મદદે આવી અને તેની રક્ષા કરતા,અંતે હિરણ્યકશિપુ મદદ માટે તેમની બહેન તરફ વળ્યા. હોલીકાએ પ્રહલાદ સાથે તેની ગોદમાં ભડકાતી અગ્નિમાં પ્રવેશ કર્યો, કારણ કે તે જ્વાળાઓથી પ્રતિરક્ષા આપતી ચુંદડી એમની પાસે હતી. જો કે, ભગવાન વિષ્ણુએ તેમના ભક્ત પ્રહલાદને પવન દેવની કૃપાથી રક્ષા આપી અને હોલિકા એ ઓઢેલી ચુંદડી પ્રહલાદ પર આવીજતા હોલિકા અગ્નિમાં રાખ બની અને ભક્ત પ્રહલાદ ને ભગવાને બચાવ્યા, જ્યારે હોલિકાએ તેના અધમ કૃત્યની કિંમત ચૂકવી.
દેશભરના રિવાજો અને ધાર્મિક વિધિઓ આજ આનંદ દાયક,ભક્તિમય અને રંગબેરંગી તહેવારની ઉજવણી કરવા માટે બધા ભક્તો ભેગા થાય છે. હોળીનો તહેવાર લોકોને એક કરે છે અને એક બીજા સાથેની ભૂતકાળની અદાવત ભૂલી જવા અને ભાઈચારાની ભાવનાને ઉજવવા માટે પ્રોત્સાહિત કરે છે. લોકો વચ્ચેના સંબંધો અને ભાવનાત્મક બંધનને મજબૂત બનાવવામાં મદદ કરે છે.સમુદાયના સભ્યો તેમના મતભેદોને બાજુ પર રાખે છે અને સંયુક્ત જૂથ તરીકે ઉજવણીમાં ભાગ લે છે.આનંદ ની વાત તો એ છે કે મોટા ભાગના લોકો દ્વારા હોલિકા દહન ના બીજે દિવસે અનુસરવામાં આવતી પરંપરાઓ માં પ્રિયજનોની મુલાકાત લેવી અને એકબીજા પર ગુલાલ છાટવું, તિલક લગાવવી અને ભવ્ય ઉજવણીમાં શામેલ છે.
વિવિધ રંગ ઘણું મહત્વ ધરાવે છે. માનવામાં આવે છે કે દરેક રંગ એક વિશિષ્ટ લાક્ષણિકતા રજૂ કરે છે. દા.ત લાલ રંગ માનવામાં આવે છે કે તે વિષયાસક્તતાનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે લીલો રંગ એનર્જી અને જીવનનું પ્રતીક છે.
જ્યોતિષીય મહત્વ હોળીના દિવસે, જ્યોતિષીઓ માને છે કે સૂર્ય અને ચંદ્ર આકાશમાં એકબીજાની વિરુધ છેડા પર છે. જ્યોતિષીય દ્રષ્ટિકોણથી, આ સ્થિતિને અનુકૂળ સમય માનવામાં આવે છે. આ સમય દરમિયાન ચંદ્ર સિંહ રાશિ અથવા કર્ક રાશિમાં રહે છે, જ્યારે સૂર્ય કુંભ અથવા મીન રાશિમાં હોય છે.
જ્યોતિષાચાર્ય જીગર પંડ્યા આપ સર્વે વાચક મિત્રોને હોળીની શુભેચ્છાઓ આપે છે.