
સીએમ ઉદ્ધવ ઠાકરે બાળકોના મોતની ઘટના પર દુઃખ વ્યક્ત કર્યુ છે.તેઓએ સ્વાસ્થ્ય પ્રધાન રાજેશ ટોપે, જિલ્લા કલેકટર અને પોલસી અધિક્ષક સાથે પણ સમગ્ર દુર્ઘટના પર વાતચીત કરી.કહેવાય છે કે, જે બાળકોના મોત થયા તે એક દિવસથી માંડીને ત્રણ મહિનાની ઉમરના હતા.
મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં આવેલી એક હૉસ્પિટલમાં આગ લાગતાં ન્યૂબોર્ન કેર યુનિટમાં રહેલાં સત્તરમાંથી દસ નવજાત બાળકો બળીને રાખ થઇ ગયાં હતાં.ભંડારા જિલ્લા હૉસ્પિટલના સિવિલ સર્જ્યન ડૉક્ટર પ્રમોદ ખંડાતેએ કહ્યું હતું કે ન્યૂબોર્ન કેર યુનિટમાં સત્તર બાળકોને રાખવામાં આવ્યાં હતાં