
શ્રી વિશ્ર્વકર્મા લુહાર યુવક મંડળ માંડવી કચ્છ દ્વારા કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો
શ્રી લુહાર ચોક માંડવી મધ્યે આવેલ ભગવાન શ્રી રામચંદ્રજી મંદિર 400 વર્ષો થી પણ વધારે જે પરંપરા ચાલતી આવી છે એજ રીતે જન્માષ્ટમી ના રાત્રે 12 વાગ્યે ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ ની ધામધુમ થી ઉજવણી કરવામાં માં આવી હતી .
કાર્યક્રમ ને સફળ બનાવવા શ્રી કચ્છી ગુર્જર લુહાર સમાજ માંડવી કચ્છ ના પ્રમુખ અને વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ એવા શ્રી અજય ભાઈ આસોડીયા . વિશ્વ હિન્દુ પરિષદ પશ્ચિમ કચ્છ સહમંત્રી નિર્મલ કુમાર આસોડીયા.*તેમજ લુહાર સમાજ ના ઉપપ્રમુખ એવા હિતેશભાઈ મકવાણા
અને સર્વ ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો કૃષ્ણ જન્મોત્સવ માં કૃષ્ણ મય બન્યા હતા અજય ભાઈ ના સુપુત્ર એવા કૃષ્ણ ને બાલ ગોપાલ બનાવી મંદિર માં જન્મોસ્ત્વ પૂર્ણ થયા બાદ શ્રી લુહાર ચોક ના યુવાનો દ્વારા લુહાર ચોક મધ્યે પણ મટકી ફોડવા માં આવી હતી
શ્રી વિશ્ર્વકર્મા લુહાર યુવક મંડળ માંડવી કચ્છ ના અંકિત ઉમરાનીયા, રોહિત મારું, મોહિત મારું તેમજ તમામ સભ્યો દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું.